Book Title: Pratikramana sutra Abhinava Vivechan Part 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Arhant Shrut Prakashan

View full book text
Previous | Next

Page 225
________________ ૨૨૪ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૩ તે અતિચારોનો નામ-નિર્દેશ તે-તે ગાથામાં કર્યો, ત્યારપછી આ અતિચારનું સામાન્ય કારણ છે. મન, વચન, અને કાયા. એ વાત જણાવીને તેનું સામાન્યપણે પ્રતિક્રમણ કર્યું. હવે એ ત્રણે યોગનું જ વિશેષપણે પ્રતિક્રમણ જણાવે છે. – આ ગાથામાં – (૧) વંદન, (૨) વ્રત, (૩) શિક્ષા, (૪) ગૌરવ, (૫) સંજ્ઞા, (૬) કષાય, (૭) દંડ, (૮) ગુપ્તિ અને (૯) સમિતિ. આ નવ વિષયોમાં કરવા યોગ્ય ન કરવાથી અને ન કરવા યોગ્ય કરવાથી અતિચારો લાગે છે, તેની નિંદા કરાયેલ છે. – આ નવ વિષયો અંગે ગાથાના શબ્દો અનુસાર વિસ્તારથી વિવેચન હવે અહીં કરી રહ્યા છીએ • વંલ – વંદન. તેમાં અહીં વૃત્તિકારે બે પ્રકારના વંદનનો ઉલ્લેખ કર્યો છે – (૧) ચૈત્યવંદન અથવા દેવવંદન અને (૨) ગુરુ વંદન. આ બંને વંદનોના પણ દ્રવ્યથી અને ભાવથી બબ્બે ભેદ છે. તેથી કુલ ચાર ભેદ થશે - (૧) દ્રવ્ય ચૈત્યવંદન, (૨) ભાવ ચૈત્યવંદન, (૩) દ્રવ્ય ગુરુવંદન અને (૪) ભાવ ગુરુવંદન. દષ્ટાંત – દ્રવ્યથી ચૈત્ય અથવા દેવવંદનમાં પાલકકુમારનું દૃષ્ટાંત છે, જેણે સાક્ષાત્ જઈને ભગવંત અરિષ્ટનેમિને વંદન કરેલું અને ભાવ દેવ (ચૈત્ય) વંદનમાં શાંબકુમારનું દૃષ્ટાંત છે, જેણે ઘેર બેઠાં-બેઠાં જ ભગવંત અરિષ્ટનેમિને વંદન કરેલ. એ જ રીતે ગુરુવંદનમાં દ્રવ્ય અને ભાવ બે ભેદને જણાવતું દૃષ્ટાંત છે - કૃષ્ણ વાસુદેવ અને વીરક શાળવીનું. તે બંને એ ૧૮૦૦૦ સાધુને વાંદ્યા. પણ કૃષ્ણવાસુદેવે કરેલ ભાવવંદન હતું. જ્યારે વીરક સાળવીએ કેવળ અનુવૃત્તિથી કરેલ દ્રવ્યવંદન હતું. - ચૈત્યવંદન ભાષ્યમાં દેવવંદનના ૨૦૭૪ બોલ અને ગુરુવંદનભાષ્યમાં ગુરુવંદનના ૪૯૨ બોલ રૂપે જણાવેલ છે. – વંદન યથા સમય અને યથાવિધિ ન કર્યું હોય તેને નિંદુ છું. • વય - વ્રત. તેમાં વૃત્તિકારે શ્રાવકના બાર વ્રત અને પૌરુષી આદિ પચ્ચકખાણોનો સમાવેશ કર્યો છે. – શ્રાવકના બાર વ્રતોમાં આપણે આ જ વંદિતુ સૂત્રમાં પાંચ અણુવ્રત, ત્રણ ગુણવત, ચાર શિક્ષાવ્રતો જોઈ ગયા તે. - પૌરૂષી (પારસી), સાર્ધ પોરસી, પુરિમટ્ટ, અવઠ્ઠ, બીયાસણું, એકાસણું, એકલઠાણું, આયંબિલ આદિ પચ્ચક્ખાણ, – વ્રતો લીધાં નહીં કે લઈને બરાબર પાન્યા નહીં અથવા આ વ્રત નિયમોમાં કંઈપણ ભૂલચૂક થઈ હોય તેને નિંદુ છું. • સિવવ - શિક્ષા. તેના પણ વૃત્તિકાર બે ભેદ કહે છે. (૧) ગ્રહણ શિક્ષા - સૂત્રો અને અર્થોનો અભ્યાસ કરવો તે. (૨) આસેવન શિક્ષા - શ્રાવકાચાર મુજબના નિયમો પાળવા તે. – સામાયિક આદિ સૂત્રો તથા અર્થોનું ગ્રહણ કરવું તે ગ્રહણ શિક્ષા કહેવાય

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305