Book Title: Pratikramana sutra Abhinava Vivechan Part 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Arhant Shrut Prakashan

View full book text
Previous | Next

Page 288
________________ આયરિય ઉવજ્ઝાએ સૂત્ર-શબ્દજ્ઞાન ૨૮૭ અ - અને મે - મેં કેઈ - કોઈપણ કસાયા - કષાયો (કર્યા) સā - સર્વેને તિવિહેણ - ત્રણ પ્રકારે ખામેમિ - હું નમાવું છું, હું ક્ષમા માંગુ છું. સબ્યસ્સ - સર્વ સમણસંઘમ્સ - શ્રમણસંઘને ભગવઓ - પૂજ્યને અંજલિ - બે હાથ જોડીને કરિય - કરીને સીસ - મસ્તક પર સā - સર્વ (અપરાધ)ને ખમાવઇત્તા - ખમાવીને ખમામિ - ખમું છું સબ્યસ્સ - સર્વના અહયંપિ - હું પણ જીવરાસિમ્સ - જીવસમૂહને ભાવઓ - ભાવથી ધમ્મ - ધર્મને વિશે નિતિય - સ્થાપ્યું છે નિય ચિત્તો - પોતાનું ચિત્ત, (જેણે એવો હું) .. વિવેચન : આ સૂત્ર ક્ષમાપના સંબંધી સૂત્ર છે, તેમાં આચાર્યાદિને ખમાવવામાં આવતા હોવાથી તેને “આયરિઆઈ-ખામણા સૂત્ર' કહે છે. પણ વ્યવહારમાં તે “આયરિય ઉવજ્ઝાએ” સૂત્રના નામથી પ્રસિદ્ધ છે, કેમકે આ સૂત્રના આદ્ય પદો “આયરિય ઉવજઝાએ' છે. તેથી બધાં સૂત્રોની જેમ આ સૂત્ર પણ આદ્ય પદોને આધારે ઓળખાય છે. માયરિક-વાણ - આચાર્ય અને ઉપાધ્યાય પ્રત્યે, આચાર્ય અને ઉપાધ્યાયના સંબંધમાં. – અહીં આચાર્ય અને ઉપાધ્યાય બંનેને સાથે લઈને વિભક્તિ મૂકી છે. ૦ ‘મારિયે' શબ્દના વિવેચન માટે સૂત્ર-૧ નવકારમંત્ર' તથા સૂત્ર-૨ પંચિંદિય સંવરણો' જોવું. ૦ “હવેબ્સાઈ' શબ્દના વિવેચન માટે સૂત્ર-૧ “નવકારમંત્ર' જુઓ. – આ બંને પદનો સંબંધ ગાથા-૧ના ઉત્તરાર્ધ સાથે છે. • સ - શિષ્ય પરત્વે, શિષ્યના સંબંધમાં. - જે શિક્ષણ આપવા યોગ્ય હોય, ઉપદેશ આપવા યોગ્ય હોય તે “શિષ્ય' કહેવાય છે. - જેના નામથી જેની દીક્ષા થઈ હોય તે ગુરને માટે તે ચેલો પણ શિષ્ય કહેવાય છે. – ઉત્તરાધ્યયન સૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે, જે અનુશાસિત અથવા શિક્ષિત કરવાનું શક્ય હોય તે શિષ્ય કહેવાય છે. – આ પદનો સંબંધ આ ગાથાના ઉત્તરાર્ધ સાથે છે. • સમિા - સાધર્મિક પ્રત્યે, સમાનધર્મીના સંબંધમાં.

Loading...

Page Navigation
1 ... 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305