Book Title: Pratikramana sutra Abhinava Vivechan Part 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Arhant Shrut Prakashan

View full book text
Previous | Next

Page 278
________________ અબુટ્ઠિઓ સૂત્ર-વિવેચન ૨૭૭ જો પાક્ષિક, ચાતુર્માસિક કે સંવત્સરિક અપરાધોની ક્ષમા માંગવા માટે કે પાક્ષિકાદિ પ્રતિક્રમણમાં વંદન અર્થે આ સૂત્ર બોલાય તો ‘વૈસિર્ગ’ ના બદલે અનુક્રમે ‘‘પવિત્રં’’, ‘“વાડમાસિયં’' અને ‘‘સંવઝિં’’ પદ બોલવામાં આવે છે. ‘અભિંતર દેવસિઅં'', ‘‘અભિંતર રાઇઅં'' ઇત્યાદિ સર્વે પદો વિશેષણરૂપ છે. તેથી વિશેષ્ય શું ? તેવી અપેક્ષા રહેજ છે. તે વિશેષ્યનો નિર્દેશ સૂત્રમાં તો સ્પષ્ટ શબ્દોમાં જોવામાં આવતો નથી. પણ “ખમાવવા માટેનું'' ક્ષમા માંગવાના મુખ્ય હેતુરૂપ આ સૂત્ર હોવાથી ક્ષમા તો હંમેશાં અતિચાર, અપરાધ, દોષ કે સ્ખલનાની જ માંગવાની હોય છે. અહીં ગુરુ સાથે ક્ષમાપના કરવાની હોવાથી “અપરાધ' શબ્દ અધ્યાહારથી સમજી લેવાનો છે. ‘ખમાવવું' એ શબ્દ “ખમવું'નું પ્રેરક રૂપ છે. તેથી તેનો સ્પષ્ટ અર્થ ક્ષમાની યાચના કે માગણી છે. - જ્યારે શિષ્ય પોતાની ખમાવવાની ઇચ્છા વ્યક્ત કરે ત્યારે ગુરુ પોતાની ઇચ્છાથી તેને ઉત્તર આપે છે - સ્વામેહ ૦ સ્વામેઃ એટલે ખમાવો. (આપની ખમાવવાની ઇચ્છા હોય તો તે માટે મારી અનુમતિ છે - આજ્ઞા છે.) જો કે સૂત્રમાં આ પદ લખ્યું નથી. પણ ગુરુ તેમ બોલે છે તે જાણવું. ૦ ફર્સ્ટ સામેમિ ટેલિગં આપની આજ્ઞા પ્રમાણે - હું દિવસ સંબંધી અપરાધોને ખમાવું છું. ૦ રૂ∞ - હું પણ તેમ ઇચ્છુ છું, આપની આજ્ઞા સ્વીકારું છું. ૦ સ્વામેમિ - મારા અપરાધોને ખમાવું છું. ૦ વૈવસિઝં - દિવસ સંબંધી, દિવસ દરમિયાનના. -- અહીં પણ વૈક્તિત્રં ને બદલે રાગ, જ્વર્ગ સમજી લેવું. અહીંથી ખમાવવાની પ્રક્રિયાનો આરંભ થાય છે. 1 - શિષ્ય આદેશ માંગે ત્યારે ઉભા-ઉભા બે હાથ જોડીને આદેશ માંગે છે, - ગુરુની આજ્ઞા પ્રાપ્ત થયા પછી તે વિધિપૂર્વક બે હાથ, બે ઢીંચણ અને મસ્તક જમીન પર (ચરવળા પર) લગાડીને પછી જમણો હાથ ચરવળા પર સ્થાપી, ડાબા હાથમાં મુહપત્તિ લઈને તે હાથ મુખ પાસે રાખીને હવેનો સૂત્રપાઠ બોલવો. ૦ પ્લાનેમિ - ખમવું એટલે સહનશીલતા રાખવી, ઉદારતા રાખવી, ખામોશી રાખવી, વૈર લેવાની વૃત્તિનો કે દ્વેષભાવનો ત્યાગ કરવો. આ ‘ખમવું' શબ્દનું પ્રેરકરૂપ છે ‘ખમાવવું'. ‘ખમાવવું' એટલે સામાની પાસે ક્ષમાની-માફીની અપેક્ષા રાખવી, ઉદારતાની માગણી કરવી તથા વૈષભાવના કે કલુષિત લાગણીનો ત્યાગ કરે તેવી પ્રાર્થના કરવી તે ક્ષમાપના ક્રિયા છે. આ પ્રાર્થના એટલા માટે કરવામાં આવે છે કે, અપ્રીતિકારક કે અસવર્તનથી ગુરુને કોઈપણ પ્રકારનું દુઃખ થયું હોય કે ક્રોધ કરવાનું નિમિત્ત મળેલ હોય તો તેની

Loading...

Page Navigation
1 ... 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305