Book Title: Pratikramana sutra Abhinava Vivechan Part 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Arhant Shrut Prakashan

View full book text
Previous | Next

Page 260
________________ વંદિતુ-સૂત્ર-વિવેચન-ગાથા-૪૮ ૨૫૯ કે, “સમ્યગુદૃષ્ટિ દેવો પાસે સમાધિ તથા બોધિલાભની (સહાયાર્થે) પ્રાર્થના કરવામાં દોષ નથી. ૦ હવે ગાથા-૪૮માં પ્રતિક્રમણ શા માટે કરવું ? તે કહે છે. • સિતા વાર - પ્રતિષેધ કરાયેલાનું કરવું. – પ્રતિક્રમણ શા માટે કરવું ? તેનું આ પહેલું કારણ કહ્યું છે. ૦ સિદ્ધ - એટલે પ્રતિષિદ્ધ - જેમાં પ્રતિ + લિધુ ક્રિયાપદ છે. તેનો અર્થ છે - નિષેધ કરવો કે મનાઈ ફરમાવવી. તેના પરથી શબ્દ બન્યો છે પ્રતિસિદ્ધ - એટલે કે નિષેધ કરાયેલ, પ્રતિષેધ કરાયેલ, મનાઈ કરાયેલ. ૦ ર - કરવામાં. – જ્ઞાની ભગવંતોએ જે વસ્તુઓનો કે ક્રિયાઓનો નિષેધ કરેલો છે તેવી ક્રિયાઓ કરી હોય. જેમકે અવિરતિ શ્રાવક હોય અર્થાત્ જેણે વ્રત ગ્રહણ ન કર્યા હોય તેવાને પણ અઢાર પાપસ્થાનકના સેવનનો પ્રતિષેધ છે. છતાં શાસ્ત્ર નિષિદ્ધ એવા આ પાપસ્થાનકોમાં કોઈપણ પાપસ્થાનકનું સેવન કર્યું હોય તો તેનું પ્રતિક્રમણ કરવું જોઈએ. ૦ વિદ્યામવર - કરવા યોગ્ય કૃત્યો નહીં કરવામાં. – પ્રતિક્રમણ શા માટે કરવું ? તેનું આ બીજું કારણ કહ્યું છે. ૦ છિદ્મ એટલે કૃત્ય - અર્થાત્ કરવા યોગ્ય. ૦ વર એટલે ન કરવું તે (ન આચરવું તે) – જ્ઞાની ભગવંતોએ જે ક્રિયા કે વસ્તુઓ કરવાની કહી છે તે ન કરી હોય. જેમકે – શ્રાવકોના નિત્ય કૃત્ય જેવા કે દેવપૂજ, ગુરુવંદન, છ પ્રકારના આવશ્યકો, સુતા-ઉઠતા સાત નવકાર ગણવા ઇત્યાદિ કર્તવ્યો તેણે કરવા જોઈએ. છતાં આ કૃત્યો ન કર્યા હોય તો પ્રતિક્રમણ કરવું જોઈએ. ( શ્રાવકે કરવા યોગ્ય કૃત્યોનો અહીં તો સામાન્ય નિર્દેશ માત્ર કર્યો છે. શ્રાવકે પોતે શું કરવું જોઈએ ? તેનું જ્ઞાન પ્રાપ્ત કરવું જ જોઈએ. તે માટે શ્રાવક દિનકૃત્યો, રાત્રિકૃત્યો, પર્વકૃત્યો, વાર્ષિકકૃત્યો, શ્રાવકના ૩૬-કર્તવ્યો ઇત્યાદિ બધું જ પંચાશક, શ્રાદ્ધવિધિ, શ્રાદ્ધદિનકૃત્ય, ધર્મસંગ્રહ, ધર્મબિંદુ આદિ ગ્રંથોથી જાણી લેવું જોઈએ.) ૦ ૧ - એટલે અને ૦ ડિ2માં - પ્રતિક્રમણ, પ્રતિક્રમણની ક્રિયા. – આ શબ્દનો સંબંધ અહીં પૂર્વે રજૂ કરેલા બે કૃત્યો અને હવે પછી રજૂ થનારા બે કૃત્યો - એમ ચારે કૃત્યો સાથે છે એટલે કે (૧) જેની મનાઈ ફરમાવી છે તે કરે - આચરે તો પ્રતિક્રમણ. (૨) જે કરવાનું હ્યું છે તે ન કરે - ન આચરે તો પ્રતિક્રમણ. (૩) જિનવચનો કે જિનપ્રણિત તત્ત્વોમાં અશ્રદ્ધા કરે તો પ્રતિક્રમણ.

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305