Book Title: Pratikramana sutra Abhinava Vivechan Part 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Arhant Shrut Prakashan

View full book text
Previous | Next

Page 271
________________ ૨૭૦ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૩ (૨૬) ખોટું નામું ન લખવું, ખોટી રસીદ ન બનાવવી, ખોટા દસ્તાવેજ ન કરવા, માલની ખોટી જાહેરાતો ન આપવી. (૨૭) કોઈ પણ પ્રકારે ચોરી કરવી નહીં કે કોઈએ ન આપેલી વસ્તુ આપમેળે લેવી નહીં (૨૮) ચોરીનો માલ ખરીદવો નહીં. (૨૯) ચોરીનો માલ ખરીદવા કોઈને પ્રેરણા ન આપવી. (૩૦) વેચવા માટેના માલમાં કોઈ પ્રકારની ભેળસેળ ન કરવી. (૩૧) રાજ્યના નિયત કરેલા કાયદાનું ઉલ્લંઘન ન કરવું, દાણચોરી ન કરવી, કરચોરી ન કરવી. (૩૨) ખોટાં તોલ-માપ રાખવા નહીં. (૩૩) પરસ્ત્રીગમન કરવું નહીં. (૩૪) વૈશ્યાગમન કરવું નહીં (૩૫) પોતાની સ્ત્રીમાં કે સ્ત્રીથી સંતોષ રાખવો. (૩૬) કામભોગના ઉત્તેજન માટે અનંગક્રીડા ન કરવી. (૩૭) વિવાહ કાર્યોમાં રસ લેવો નહીં. (૩૮) કામભોગ સંબંધી તીવ્ર અભિલાષા ન રાખવી. (૩૯) ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, રૂપું, સુવર્ણ, કુષ્ઠ, દ્વિપદ અને ચતુષ્પદ એવા વિવિધ પરીગ્રહની મર્યાદા રાખવી. અમર્યાદ-પરગ્રહની લાલસા ન કરવી (૪૦) વ્યવસાય અને પ્રવૃત્તિઓનું ક્ષેત્ર મર્યાદિત રાખવું. જેથી બિનજરૂરી આવાગમનને નિવારી શકાય (૪૧) ઉપભોગ-પરિભોગના સાધનોની મર્યાદા રાખવી. અત્યંત આવશ્યક હોય તે સિવાયના સાધનોનો સંગ્રહ ન કરવો. (૪૨) માંસ-મદિરાનો સર્વથા ત્યાગ કરવો. (૪૩) પુષ્પ, ગંધ, માળા વગેરેનો ઉપયોગ ઘટાડવો. (૪૪) બાવીશ અભક્ષ્ય-બત્રીશ અનંતકાય સહિત ત્યાગ કરવો. (૪૫) અંગાર કર્મ, વનકર્મ આદિ જે પંદર કર્માદાનો કહ્યા છે, તેનો સર્વથા ત્યાગ કરવો, ન જ થઈ શકે તો પણ તેમાંના વધુમાં વધુ વ્યવસાયોને છોડી દેવા, તેના શેરમાં નાણા પણ ન રોકવા. (૪૬) નિરર્થક પ્રવૃત્તિ (અનર્થદંડ લાગે તેવી) પ્રવૃત્તિ ન કરવી. (૪૭) દુર્ગાન - આર્ત અને રોદ્રધ્યાન ન થાય તે માટે જાગૃત રહેવું. (૪૮) શસ્ત્ર, અગ્નિ આદિ પાપસાધનો કોઈને આપવા નહીં. (૪૯) કામોત્પાદક ચેનચાળા કરવા નહીં. (૫૦) અતિ વાચાળપણું રાખવું નહીં. (૫૧) બીજાને હસાવવાની કે ભાંડ-ભવાયા જેવી ચેષ્ટા ન કરવી. (પર) શસ્ત્રો સજાવીને તૈયાર ન રાખવા.

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305