Book Title: Prarthana Piyush Author(s): Mumukshu Bhai Baheno Publisher: Raj Saubhag Satsang Mandal View full book textPage 4
________________ આવે જયાં એવી દશા, સદ્ગુરુ બોધ સુહાય; તે બોધ સુવિચારણા, ત્યાં પ્રઘટે સુખદાય. ૪૦ જયાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન; જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ. ૪૦ આ કડીઓમાં યોગ્યતા-પાત્રતા તથા સુવિચારણાનું શું મહત્ત્વ છે, તે સમજાવ્યું છે. જેમ સુવિચારણા પ્રઘટાવવા માટે આત્મસિદ્ધિશાસ્ત્ર ખૂબ જ ઉપયોગી છે. તેવી જ રીતે પાત્રતા અને વૈરાગ્યદશા પ્રગટાવવા માટે આજ્ઞાભકિતનું વાંચન, મનન, ચિંતન, અનુપ્રેક્ષા પણ ઉપયોગી છે. જયાં સુધી સાધક મુમુક્ષુ સપુરુષની અનન્ય ભકિત કરતો નથી, ત્યાં સુધી તે મોક્ષમાર્ગમાં આગળ વધી શકતો નથી તેમજ વિક્ષેપની નિવૃત્તિ કરી શકતો નથી. રે ! આત્મ તારો ! આત્મ તારો ! શીધ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદૃષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. આ કડીમાં પણ કૃપાળુદેવનો કહેવાનો આશય છે કે, આત્માને પરિભ્રમણમાંથી છોડાવવા માટે એને ત્વરાથી ઓળખો, તેમજ જગતમાં રહેલા બધા જ આત્માઓ મારા જેવા છે, મારા સમાન જ છે. આ વચનને હૃદયમાં સ્થિર કરો. પ્રાર્થના પિયુષમાં સમાવિષ્ટ ભકિતપદોના વિવેચનયુક્ત અર્થ આરાધના શિબિર-૧૪ના પ્રકાશનમાં આવરી લેવાયેલ છે. તો આવો, આપણે પ્રાર્થનાને પિયુષ રૂપે પરિણામવવા પ્રબળ પુરુષાર્થ આરંભીએ. “સપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.” સં. ૨૦૬૩, કાર્તિકી પૂર્ણિમા પ્રકાશન સમિતિ તા. ૦૫-૧૧-૨૦૦૬ શ્રી રાજ-સૌભાગ સત્સંગ મંડળ (૫. કુ. દેવનો જન્મ દિવસ) સાયલા | પ્રાર્થના પિયુષ * ૪ |Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 67