________________
શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ, નથી લઘુતા કે દીનતા, શું કહું પરમસ્વરૂપ ? ૨ નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહી, આપ તણો વિશ્વાસ દઢ, ને પરમાદર નાહીં; ૩ જોગ નથી સત્સંગનો, નથી સત્સવા જોગ, કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયોગ; ૪ ‘પામર શું કરી શકું ?” એવો નથી વિવેક, ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક; પ અચિંત્ય તુજ માહાભ્યનો, નથી પ્રફુલ્લિત ભાવ, અંશ ન એકે સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ; ૬ અચળરૂપ આસકિત નહિ, નહીં વિરહનો તાપ, કથા અલભ તુજ પ્રેમની, નહિ તેનો પરિતાપ; ૭ ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દઢ ભાન, સમજ નહીં નિજ ધર્મની, નહિ શુભ દેશે સ્થાન; ૮ કાલદોષ કળિથી થયો, નહિ મર્યાદાધર્મ, તોયે નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ; ૯ સેવાને પ્રતિકુળ છે, તે બંધન નથી ત્યાગ, દેહેન્દ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ; ૧૦ તુજ વિયોગ સ્કુરતો નથી, વચન નયન યમ નાહીં, નહિ ઉદાસ અનભકતથી, તેમ ગૃહાદિક માંહી; ૧૧ અહંભાવથી રહિત નહિ, સ્વધર્મસંચય નાહીં, નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ધર્મની કાંઇ; ૧૨
પ્રાર્થના પિયુષ * ૧૦.