Book Title: Prarthana Piyush
Author(s): Mumukshu Bhai Baheno
Publisher: Raj Saubhag Satsang Mandal

View full book text
Previous | Next

Page 38
________________ દેહ ન જાણે તેહને, જાણે ન ઈન્દ્રીય, પ્રાણ, આત્માની સત્તાવડે, તેહ પ્રવર્તે જાણ; ૧૩ સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય, પ્રગટરૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાય; ૫૪ ઘટપટ આદિ જાણ તું, તેથી તેને માન, જાણનાર તે માન નહિ, કહીએ કેવું જ્ઞાન ? પપ પરમ બુદ્ધિ કૃશ દેહમાં, સ્થળ દેહ મતિ અલ્પ, દેહ હોય જો આતમાં, ઘટે ન આમ વિકલ્પ; પ૬ જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ, એ કાણું પામે નહીં, ત્રણે કાળ દ્રયભાવ; આત્માની શંકા કરે, આત્મા પોતે આપ, શંકાનો કરનાર તે, અચરજ એહ અમાપ; પ૮ '(9 -~-~ ૨. શંકા-શિષ્ય ઉવાચ (આત્મા નિત્ય નથી, એમ શિષ્ય કહે છે.) આત્માના અસ્તિત્વના, આપે કહ્યા પ્રકાર, સંભવ તેનો થાય છે, અંતર કર્યો વિચાર; ૫૯ બીજી શંકા થાય ત્યાં, આત્મા નહિ અવિનાશ, દેહયોગથી ઊપજે, દેહવિયોગે નાશ; ૬૦ અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય, એ અનુભવથી પણ નહીં, આત્મા નિત્ય જણાય; ૬૧ - - - - - ૨. સમાધાન-સદ્ગુરુ ઉવાચ (આત્મા નિત્ય છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છે.) પ્રાર્થના પિયુષ ક ૩૮

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67