________________
૧. શંકા-શિષ્ય ઉવાચ (આત્માના હોવાપણારૂપ પ્રથમ સ્થાનકની શિષ્ય શંકા
કહે છે) નથી દૃષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ, બીજો પણ અનુભવ નહીં, તેથી ન અવસ્વરૂપ; ૪૫ અથવા દેહ જ આતમા, અથવા ઇન્દ્રિય પ્રાણ, મિથ્યા જુદો માનવો, નહીં જુદું એંધાણ; ૪૬ વળી જો આત્મા હોય તો, જણાય તે નહિ કેમ ? જણાય જો તે હોય તો, ઘટ પટ આદિ જેમ; ૪૭ માટે છે નહિ આતમા, મિથ્યા મોક્ષ ઉપાય, એ અંતર શંકાતણો, સમજાવો સદુપાય; ૪૮
૧. સમાધાન-સદ્ગુરુ ઉવાચ (આત્મા છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છે) ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન, પણ તે બન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન; ૪૯ ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન, પણ તે બન્ને ભિન્ન છે, જેમ અસિ ને મ્યાન; ૫૦ જે દ્રષ્ટા છે દૃષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ; છે ઈન્દ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન, પાંચ ઈન્દ્રીયના વિષયનું, પણ આત્માને ભાન; પર
પ્રાર્થના પિયુષ > ૩૭ |