Book Title: Prarthana Piyush
Author(s): Mumukshu Bhai Baheno
Publisher: Raj Saubhag Satsang Mandal

View full book text
Previous | Next

Page 35
________________ જે જિનદેહ પ્રમાણ ને, સમવસરણાદિ સિદ્ધિ, વર્ણન સમજે જિનનું, રોકી રહે નિજ બુદ્ધિ; પ્રત્યક્ષ સદ્ગુરુયોગમાં, વર્તે દૃષ્ટિ વિમુખ, અસદ્ગુરુને દૃઢ કરે, નિજમાનાર્થે મુખ્ય; દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન, માને નિજ મત વેષનો, આગ્રહ મુકિતનિદાન; લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન, ગ્રહે નહીં પરમાર્થને, લેવા લૌકિક માન; અથવા નિશ્ચય નય ગ્રહે, માત્ર શબ્દની માંય; લોપે સદ્વ્યવહારને, સાધનરહિત થાય; જ્ઞાનદશા પામે નહીં, સાધનદશા ન કાંઇ, પામે તેનો સંગ જે, તે બૂડે ભવ માંહી; એ પણ જીવ મતાર્થમાં, નિજમાનાદિ કાજ, પામે નહિ પરમાર્થને, અનુ-અધિકારીમાં જ; નહિ કષાય ઉપશાંતતા, નહિ અંતર વૈરાગ્ય, સરળપણું ન મધ્યસ્થતા, તે મતાર્થી દુર્ભાગ્ય; લક્ષણ કહ્યાં મતાર્થીનાં, મતાર્થ જાવા કાજ, હવે કહું આત્માર્થના, આત્મ-અર્થ સુખસાજ; -*-* ( આત્માર્થી-લક્ષણ ) આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય, બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહિ જોય; પ્રાર્થના પિયુષ * ૩૫ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧ ૩૨ ૩૩ ૩૪

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67