________________
જે જિનદેહ પ્રમાણ ને, સમવસરણાદિ સિદ્ધિ, વર્ણન સમજે જિનનું, રોકી રહે નિજ બુદ્ધિ; પ્રત્યક્ષ સદ્ગુરુયોગમાં, વર્તે દૃષ્ટિ વિમુખ, અસદ્ગુરુને દૃઢ કરે, નિજમાનાર્થે મુખ્ય; દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન, માને નિજ મત વેષનો, આગ્રહ મુકિતનિદાન;
લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન, ગ્રહે નહીં પરમાર્થને, લેવા લૌકિક માન;
અથવા નિશ્ચય નય ગ્રહે, માત્ર શબ્દની માંય; લોપે સદ્વ્યવહારને, સાધનરહિત થાય; જ્ઞાનદશા પામે નહીં, સાધનદશા ન કાંઇ, પામે તેનો સંગ જે, તે બૂડે ભવ માંહી;
એ પણ જીવ મતાર્થમાં, નિજમાનાદિ કાજ, પામે નહિ પરમાર્થને, અનુ-અધિકારીમાં જ;
નહિ કષાય ઉપશાંતતા, નહિ અંતર વૈરાગ્ય, સરળપણું ન મધ્યસ્થતા, તે મતાર્થી દુર્ભાગ્ય; લક્ષણ કહ્યાં મતાર્થીનાં, મતાર્થ જાવા કાજ, હવે કહું આત્માર્થના, આત્મ-અર્થ સુખસાજ;
-*-*
( આત્માર્થી-લક્ષણ )
આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય, બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહિ જોય;
પ્રાર્થના પિયુષ * ૩૫
૨૫
૨૬
૨૭
૨૮
૨૯
૩૦
૩૧
૩૨
૩૩
૩૪