________________
પ્રત્યક્ષ સદ્ગુરુ પ્રાપ્તિનો, ગણે પરમ ઉપકાર, ત્રણે યોગ એકત્વથી, વર્તે આજ્ઞાધાર; ૩૫
એક હોય ત્રણ કાળમાં,
પ્રે૨ે તે પરમાર્થને, તે
પરમારથનો પંથ,
વ્યવહાર સમંત; ૩૬
એમ વિચારી અંતરે, શોધે સદ્ગુરુ યોગ, કામ એક આત્માર્થનું, બીજો નહિ મનરોગ; ૩૭
કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ; ૩૮
દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહિ જોગ, મોક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ; ૩૯
આવે જ્યાં એવી દશા, સદ્ગુરુબોધ સુહાય, તે બોધે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય; ૪૦
જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ; ૪૧
ઊપજે તે સુવિચારણા, મોક્ષમાર્ગ સમજાય, ગુરુશિષ્ય સંવાદથી, ભાખું ષટ્કદ આંહિ; ૪૨
-*-*
(ષપદ નામકથન)
‘આત્મા છે”, ‘તે નિત્ય છે”, ‘છે કર્તા નિજકર્મ', ‘છે ભોકતા”, ‘વળી મોક્ષ છે’, ‘મોક્ષ ઉપાય સુધર્મ’; ૪૩
ષસ્થાનક સંક્ષેપમાં, ષટ્કર્શન પણ તેહ, સમજાવા પરમાર્થને, કહ્યાં જ્ઞાનીએ એહ; ૪૪
પ્રાર્થના પિયુષ * ૩૬