________________
દેહ ન જાણે તેહને, જાણે ન ઈન્દ્રીય, પ્રાણ, આત્માની સત્તાવડે, તેહ પ્રવર્તે જાણ; ૧૩ સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય, પ્રગટરૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાય; ૫૪ ઘટપટ આદિ જાણ તું, તેથી તેને માન, જાણનાર તે માન નહિ, કહીએ કેવું જ્ઞાન ? પપ પરમ બુદ્ધિ કૃશ દેહમાં, સ્થળ દેહ મતિ અલ્પ, દેહ હોય જો આતમાં, ઘટે ન આમ વિકલ્પ; પ૬ જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ, એ કાણું પામે નહીં, ત્રણે કાળ દ્રયભાવ; આત્માની શંકા કરે, આત્મા પોતે આપ, શંકાનો કરનાર તે, અચરજ એહ અમાપ; પ૮
'(9
-~-~
૨. શંકા-શિષ્ય ઉવાચ (આત્મા નિત્ય નથી, એમ શિષ્ય કહે છે.) આત્માના અસ્તિત્વના, આપે કહ્યા પ્રકાર, સંભવ તેનો થાય છે, અંતર કર્યો વિચાર; ૫૯ બીજી શંકા થાય ત્યાં, આત્મા નહિ અવિનાશ, દેહયોગથી ઊપજે, દેહવિયોગે નાશ; ૬૦ અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય, એ અનુભવથી પણ નહીં, આત્મા નિત્ય જણાય; ૬૧
- - - - -
૨. સમાધાન-સદ્ગુરુ ઉવાચ (આત્મા નિત્ય છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છે.)
પ્રાર્થના પિયુષ ક ૩૮