________________
દેહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દૃશ્ય, ચેતનનાં ઉત્પત્તિ લય, કોના અનુભવ વશ્ય ? દુર જેના અનુભવ વશ્ય એ, ઉત્પન્ન લયનું જ્ઞાન, તે તેથી જુદા વિના, થાય ન કેમે ભાન; ૬૩ જે સંયોગો દેખીએ, તે તે અનુભવ દૃશ્ય, ઊપજે નહિ સંયોગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ; ૬૪ જડથી ચેતન ઊપજે, ચેતનથી જડ થાય, એવો અનુભવ કોઇને, કયારે કદી ન થાય; ૬૫ કોઈ સંયોગોથી નહિ, જેની ઉત્પત્તિ થાય, નાશ ન તેનો કોઇમાં, તેથી નિત્ય સદાય; $$ ક્રોધાદિ તરતમ્યતા, સર્પાદિકની માંય, પૂર્વજન્મ સંસ્કાર તે, જીવ નિત્યતા ત્યાંય; ૬૭ આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય, બાળાદિ વય ગણ્યનું જ્ઞાન એકને થાય; ૬૮ અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદનાર, વદનારો તે ક્ષણિક નહિ, કર અનુભવ નિર્ધાર; ૬૯ કયારે કોઇ વસ્તુનો, કેવળ હોય ન નાશ, ચેતન પામે નાશ તો, જેમાં ભળે તપાસ; ૭૦
---
૩. શંકા-શિષ્ય ઉવાચ (આત્મા કર્મનો કર્તા નથી, એમ શિષ્ય કહે છે.) કર્તા જીવ ન કર્મનો, કર્મ જ કર્તા કર્મ, અથવા સહજ સ્વભાવ કાં, કર્મ જીવનો ધર્મ; ૭૧
| પ્રાર્થના પિયુષ * ૩૯ |