________________
૭ર
આત્મા સદા અસંગ ને, કરે પ્રકૃતિ બંધ, અથવા ઈશ્વર પ્રેરણા, તેથી જીવ અબંધ; માટે મોક્ષ ઉપાયનો, કોઇ ન હેતુ જણાય, કર્મતણું કર્તાપણું, કાં નહિ, કાં નહિ જાય;
૭૩
-~-~
૩. સમાધાન-સદ્ગુરુ ઉવાચ (કર્મનું કર્તાપણું આત્માને જે પ્રકારે છે તે પ્રકારે સદ્ગુરુ
સમાધાન કરે છે.) હોય ન ચેતન પ્રરણા, કોણ ગ્રહે તો કર્મ ? જડસ્વભાવ નહિ પ્રેરણા, જુઓ વિચારી ધર્મ; ૭૪ જો ચેતન કરતું નથી, નથી થતાં તો કર્મ, તેથી સહજ સ્વભાવ નહિ, તેમજ નહિ જીવધર્મ; ૭૫ કેવળ હોત અસંગ જો, ભાસત તને ન કેમ ? અસંગ છે પરમાર્થથી, પણ નિજભાને તેમ; ૭૬ કર્તા ઈશ્વર કોઈ નહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ, અથવા પ્રેરક તે ગયે, ઈશ્વર દોષ પ્રભાવ; ૭૭ ચેતન જો નિજભાનમાં, કર્તા આપ સ્વભાવ; વર્તે નહિ નિજભાનમાં, કર્તા કર્મ-પ્રભાવ; ૭૮
- - -
૪. શંકા-શિષ્ય ઉવાચ (તે કર્મનું ભોકતાપણું જીવને નહીં હોય એમ શિષ્ય કહે
જીવ કર્મ કર્તા કહો, પણ ભોકતા નહિ સોય, શું સમજે જડ કર્મ કે, ફળ પરિણામી હોય ?
૭૯
પ્રાર્થના પિયુષ ૪૦ |