________________
ફળદાતા ઈશ્વર ગણ્ય, ભોકતાપણું સધાય, એમ કહ્યું ઈશ્વરતણું, ઈશ્વરપણું જ જાય; ૮૦ ઈશ્વર સિદ્ધ થયા વિના, જગત નિયમ નહિ હો, પછી શુભાશુભ કર્મનાં, ભોગ્યસ્થાન નહિ કોય; ૮૧
-~-~
૪. સમાધાન-સદ્ગુરુ ઉવાચ (જીવને પોતાનાં કરેલાં કર્મનું ભોકતાપણું છે, એમ
સદ્ગુરુ સમાધાન કરે છે.) ભાવકર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ, જીવવીર્યની ફુરણા, ગ્રહણ કરે જડધૂપ; ૮૨ ઝેર સુધા સમજે નહીં, જીવ ખાય ફળ થાય, એમ શુભાશુભ કર્મનું, ભોકતાપણું જણાય; ૮૩ એક રાંક ને એક નૃપ, એ આદિ જે ભેદ, કારણ વિના ન કાર્ય તે, તે જ શુભાશુભ વેદ્ય; ૮૪ ફળદાતા ઈશ્વરતણી, એમાં નથી જરૂર, કર્મ સ્વભાવે પરિણમે, થાય ભોગથી દૂર; ૮૫ તે તે ભોગ્ય વિશેષનાં, સ્થાનક દ્રવ્ય સ્વભાવ, ગહન વાત છે શિષ્ય આ, કહી સંક્ષે પે સાવ; ૮૬
-~-~
૫. શંકા-શિષ્ય ઉવાચ (જીવનો તે કર્મથી મોક્ષ નથી, એમ શિષ્ય કહે છે.) કર્તા ભોકતા જીવ હો, પણ તેનો નહિ મોક્ષ, વીત્યો કાળ અનંત પણ, વર્તમાન છે દોષ; ૮૭ શુભ કરે ફળ ભોગવે, દેવાદિ ગતિમાંય, અશુભ કરે નરકાદિ ફળ, કર્મ રહિત ન કયાંય; ૮૮
પ્રાર્થનાં પિયુષ * ૪૧ |