Book Title: Prarthana Piyush
Author(s): Mumukshu Bhai Baheno
Publisher: Raj Saubhag Satsang Mandal

View full book text
Previous | Next

Page 3
________________ સાતમી આવૃત્તિ વિષે આપણે સૌ આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવા માટે સાધના કરી રહ્યા છીએ. તે સાધનામાં સદ્ગુરુ દ્વારા આપણને નિત્ય આજ્ઞાભકિત કરવાની આજ્ઞા મળેલી છે. તે આજ્ઞાભકિતના રહસ્યને જ્ઞાનીના પરમ સત્સંગથી પામીને જો તે સાધનની પરમ પ્રેમે આરાધના કરીએ તો આપણી પ્રાર્થના પિયુષ થઈને પરિણમે એમાં સંશય નથી. તેમાં પરમાત્માના ગુણો, નવ તત્વ, છ પદ, પોતાના દોષો વગેરેનું વર્ણન છે. તેમજ અત્યાર સુધી ધર્મ કરતા આવ્યા છતાં અંતરની શાંતિ કે સુખની ઝાંખી પણ થઈ નથી, તેનું શું કારણ? તે પણ આમાં બતાવેલ છે. નિત્ય આજ્ઞાભકિત કરાવવા પાછળનું બીજું પણ એક ધ્યેય છે કે જેને પાત્રતા પામવી છે તથા વૈરાગ્ય-ઉપશમદશા પ્રગટાવવી છે તેને માટે આ ભકિત એ એક સર્વોપરી સાધન છે. વૈરાગ્યદશાથી વિચારદશા પ્રગટે છે, જે માર્ગમાં આગળ વધવા માટે વિવેક પ્રગટાવવાનું સાધન છે. પ.ક.દેવ કહે છે, “સ્થિતપ્રજ્ઞદશા વિચારદશા લગભગ પૂરી થયે અથવા સંપૂર્ણ થયે પ્રગટે છે.” આ પદોનો ભાવાર્થ સમજવામાં પૂ.બાપુજી-ગુરુદેવની કૃપા જ કારણભૂટ છે. તેમની કૃપા વગર આ પદોના ભાવાર્થ યર્થાથપણે સમજવા મુશ્કેલ છે. તેઓની કૃપાના સહારે આજ્ઞાભકિતના ગદ્ય-પદ્યના ભાવ સમજવા પ્રયત્ન કરીએ. આત્મસિદ્ધિમાં પણ પ.દેવ કહે છે કે : કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અબિલાષ; ભવે ખેદ પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ. ૩૮ દશા ન એવી જયાં સુધી, જીવ લહે નહિ જોગ; મોક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ. ૩૯ | પ્રાર્થના પિયુષ * ૩ |

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 67