________________
(૩૬) સગુણ
૪૨૯
અર્થ - આત્માના ગુણો જે દયા, ક્ષમા, સંતોષ વગેરે છે તેને જે હણે તે જીવો ક્રુર અને અવિચારી છે. કેમકે આત્મઘાતી મહાપાપી કહેવાય છે. પણ આત્માના ગુણોને ઘાતવારૂપ શિકારનો જે ત્યાગ કરશે તે જ મોક્ષમાર્ગને અનુસરનાર થશે. IT૪૩ના
આત્મબુદ્ધિ દેહાદિકમાં જે તે પરસ્ત્રી-રતિ જાણોજી,
એ જ અનાદિ ભૂલે ભમિયો, કાયા ઘરી ન ઘરાણોજી. વિનય અર્થ - દેહમાં આત્મબુદ્ધિ અને આત્મામાં દેહ બુદ્ધિ આદિ છે તે પરસ્ત્રીમાં રમણતા સમાન જાણો. એ જ અનાદિકાળની ભૂલથી જીવ સંસારમાં ભમ્યા કરે છે. આ દેહમાં આત્મબુદ્ધિના કારણે અનંતકાળથી જીવ નવા નવા દેહ ઘારણ કરીને હજી સુધી ઘરાયો નથી.
“બીજા દેહો તણું બીજ, આ દેહે આત્મભાવના;
વિદેહ મુક્તિનું બીજ, આત્મામાં આત્મભાવના.” -સમાધિશતક /૪૪માં કાયા-પરનારીમાં માયા કેમે કરી નહિ છૂટેજી,
બળવંતા જ્ઞાનીનો આશ્રય મળતાં તાંતો તૂટેજી. વિનય અર્થ:- કાયારૂપી પરસ્ત્રી પ્રત્યેનો માયામોહ કેમે કરીને હજી સુધી છૂટતો નથી. પણ બળવાન એવા જ્ઞાનીનો આશ્રય મળતાં જરૂર તે સ્નેહનો તાંતણો તૂટી જાય છે, અર્થાત્ કાયા પ્રત્યેનો માયામોહ હટી જાય છે. આર્દ્રકુમાર પોતાના અનુભવથી કહે છે કે હાથીની સાંકળ તોડવી સહેલી છે પણ સ્નેહના કાચા તાંતણા તોડવા દુષ્કર છે. ૪પા
ઘન-વૈભવમાં અતિ પ્રીતિ તે ભાવ ચોરી, મન આણોજી
અધિક અધિક ગ્રહવાની આશા, પાપતણું મૅળ જાણોજી. વિનય અર્થ - ઘન એ પરવસ્તુ છે. ઘન વૈભવમાં અત્યંત આસક્તિ છે તેને ભાવથી ચોરી જાણો. ઘનાદિને અધિક અધિક ગ્રહણ કરવાની જે આશા-તૃષ્ણા છે તેને તમે સર્વ પાપનું મૂળ જાણો.
“ઘનવૃદ્ધિમાં કાળ જાય, નરભવ આયુ ખપાય; ઇચ્છે છે ઘનવાન ઘન, ભલે મરણ પણ થાય. દાનાદિ પુણ્ય હેતુથી, ઘન ઉપાર્જતો દીન;
કાદવ ખરડી ન્હાઈશું, કહે તે બુદ્ધિહીન.”ઇષ્ટોપદેશ //૪૬ાા સર્વ મૂકતાં મોક્ષ મળે તો સંગ્રહભાવ જ ઊંઘોજી,
દ્રવ્ય-ભાવથી સર્વ પ્રકારે ઘુંટવા યોજ પ્રબંઘોજી. વિનય અર્થ:- સર્વ પરિગ્રહને મૂકતા જો મોક્ષ મળે અર્થાત્ સર્વ દુઃખથી મુક્ત થવાય તો પરિગ્રહને સંગ્રહ કરવાનો ભાવ તે જરૂર ઊંઘો છે, અર્થાતુ સંસાર વઘારનાર છે. માટે દ્રવ્ય અને ભાવ સર્વ પ્રકારે બઘા વ્યસનોથી છૂટવા માટેના જ પ્રબંધોની યોજના કરો. ૪૭.
દયા, ક્ષમા, ઘીરજ, સમતા ને મરણ-સમાધિ વિચારીજી,
અપ્રતિબંઘ, અસંગ, પ્રશાંતિ; સદગુણ લે ઉર ઘારીજી. વિનય દ્રવ્ય અને ભાવ વ્યસનોથી છૂટવા કેમ કરવું તેનો ઉપાય આ અંતિમ ગાથામાં જણાવે છે :