________________
૪૨૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
“શુદ્ધ ચૈતન્ય જ્ઞાનમૂર્તિને મૂકીને બહાર દ્રષ્ટિએ એટલે ચર્મચક્ષુવડે ચામડાને નહીં જોઉં, તે તો ચમારની દ્રષ્ટિ ગણાય. જે ચમાર હોય તે જ ચામડાને વિષે રંજન થાય. હું તો દિવ્ય નેત્રવાળો દેવ છું. એટલે જ્ઞાનમૂર્તિ શુદ્ધ ચૈતન્યને જોઈશ-ગુરુગમે.” -પ.પૂ.પ્રભુશ્રીજી દ્વારા લખાવેલ પત્રમાંથી ૩શા.
દેહાધ્યાસ અનાદિ પોષે માંસ-વ્યસન ભયકારીજી,
માંસ વધે તેવા આહારે રુચિ પણ માંસાહારીજી. વિનય અર્થ - અનાદિકાળથી જીવ દેહાધ્યાસને પોષે છે. તે ભાવથી ભયંકર એવા માંસ-વ્યસનને સેવનાર જાણવો. શરીરનું માંસ વધે તેવા ભાવથી આહારમાં જે રુચિ છે તે પણ માંસાહાર જાણવો. “જો દેહાર્થમાં જ તે મનુષ્યપણું વ્યતીત થયું તો તો એક ફૂટી બદામની કિંમતનું નથી.” (વ.પૃ.૫૬૧)
સ્વરૂપ-ભેદ-વિજ્ઞાન વિનાનો મદિરાપાની માનોજી,
મોહમદિરાવ્યસન તજે તે લહે શિવ-સુખ-ખજાનોજી. વિનય અર્થ :- જેને સ્વ-પરનો ભેદ પડ્યો નથી અર્થાત જેને સ્વ એટલે પોતે કોણ છે? અને પોતાથી પર એવા પદાર્થો કયા કયા છે? એમ જે યથાર્થ જાણતો નથી તેને મોહરૂપી મદિરાને પીનાર ભાન ભૂલેલો જાણવો. જે મોહરૂપી દારૂના વ્યસનને તજશે તે જ પ્રાણી મોક્ષસુખના અનંત ખજાનાને પામશે; બીજો નહીં. કહ્યું છે કે –“મોદ નીંદ્ર નવ ઉપશમે, તવ વધુ વને ઉપાય, વર્મ વોર લાવત રુ.” In૩૯ાા
વિપરીત બુદ્ધિ વેશ્યા જાણો, સંગ અનાદિ તેનોજી,
કુમતિ કલ્પના-નાચ નચાવે લૌકિક હતું જેનોજી. વિનય અર્થ :- ઇન્દ્રિયોમાં સુખ છે એવી વિપરીત બુદ્ધિને ભાવથી વેશ્યાના વ્યસન સમાન જાણો. અનાદિકાળથી જીવને આવી વિપરીત બુદ્ધિરૂપી વેશ્યાનો સંગ ચાલ્યો આવે છે. આવી પરમાં સુખબુદ્ધિની કલ્પનારૂપ કુબુદ્ધિ જીવને ચાર ગતિઓમાં અનેક પ્રકારનાં દુઃખો આપી નાચ નચાવે છે. એવી કુમતિ માત્ર તાત્કાલિક ક્ષણિક એવા આ લોકના ભૌતિક સુખોમાં જ જીવને ગરકાવ કરાવે છે. ૪૦ના
સદ્ગુરુ-શરણે બુદ્ધિ રાખે, કદ પરમાર્થ ન ભૂલેજી,
તે વેશ્યા-વ્યસને નહિ રાચે એક લક્ષ શિવ-મૂલેજી. વિનય અર્થ - જે ભવ્ય પ્રાણી સદગુરુના શરણમાં બુદ્ધિ રાખીને જીવે છે તે કદી પરમાર્થ અર્થાતુ આત્માર્થને ભૂલશે નહીં. તે પરપદાર્થમાં સુખ માનવારૂપ વેશ્યાના વ્યસનમાં રાચશે નહીં. પણ એક માત્ર શિવમૂલ એટલે મોક્ષનું મૂલ ગુરુકૃપા છે એમ જાણીને તેને મેળવવાના જ પુરુષાર્થમાં રહેશે. ૪૧ાા.
દયા ન હૃદયે ઘરતા તે જન ભાવ-શિકારી જાણોજી,
કામ, ક્રોથ ફેંપ વનમાં હાલે, પરભવ-ભય-ભુલાણોજી. વિનય અર્થ - જેના હૃદયમાં સ્વઆત્મા પ્રત્યે દયાભાવ નથી અને રાગદ્વેષ કર્યા કરે છે. તે જીવોને ભાવથી શિકારી જાણો. જે નિશદિન કામ, ક્રોધાદિ ભાવરૂપ વનમાં વિચરણ કરીને આનંદ માણી રહ્યા છે, તેમને પરભવનો ભય ભુલાઈ ગયો છે. પરભવમાં તે કેટલું દુઃખ પામશે તેનું તેમને ભાન નથી.
“ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો.’ -શ્રીમદ્ રાજચંદ્ર //૪રા
દયા, ક્ષમા, સંતોષ હણે તે ક્રુર વો અવિચારીજી, આત્મઘાત-શિકાર તજે તે મોક્ષ-માર્ગ અનુસારીજી. વિનય