________________
४७०
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
પરિગ્રહત્યાગ મહાવ્રત પાળવું અતિ આકરું છે. કેમકે અનાદિકાળથી જીવને પરિગ્રહના ગ્રહણમાં સુખબુદ્ધિ રહેલ છે માટે. ૨૦
તે વ્રત ટકાવે ભાવના પાંચ વિષય-વિરાગતાઃ "ના વેષ કર કુશબ્દ પર, સુંશબ્દ પર કર રાગ ના; સૌન્દર્ય પર કર રાગ ના, ના વેષ ઘર માઠા રૃપે;
દુર્ગથી કંટાળ ના, ના થા પ્રસન્ન સુગંઘ પે. ૨૧ હવે પરિગ્રહત્યાગવતને સહાયકારી પાંચ ભાવનાઓ જણાવે છે :
અર્થ - પાંચમા પરિગ્રહ ત્યાગ વ્રતને ટકાવવા માટે પાંચ ઇન્દ્રિયોના વિષય પ્રત્યેની વૈરાગ્યભાવના હિતકારી છે. કેમકે પાંચ ઇન્દ્રિયના વિષયો માટે જીવ પરિગ્રહને એકઠો કરે છે તેથી (૧) કોઈ કુશબ્દ બોલે તો પણ દ્વેષ કરવો નહીં. જેમકે ગૌતમ બુદ્ધને કોઈએ ગાળો આપી ત્યારે તેમણે કહ્યું કે મેં તો આમાંથી કંઈ લીધું નથી તો તે કોને રહ્યું? તો કે કહેનાર પાસે જ રહ્યું. એમ કુશબ્દથી ખેદ પામવો નહીં.
તેમજ સુશબ્દ એટલે મીઠી વાણીથી પણ મોહ પામવો નહીં. જંબુકુમાર પોતાની સ્ત્રીઓના ગમે તેવા મીઠા વચનોથી પણ રાગ કે મોહ પામ્યા નહીં. એમ રાગદ્વેષના નિમિત્તોમાં પણ જે ચલાયમાન થાય નહીં તે ખરો પરિગ્રહ ત્યાગ કરી શકે.
(૨) રૂપ અથવા સૌંદર્ય પર રાગ કરવો નહીં. જેમકે કોશા વેશ્યાના સૌંદર્ય પર શ્રી સ્કૂલિભદ્ર રાગ કર્યો નહીં. કોઈનું માઠું રૂપ જોઈને પણ તેના પ્રત્યે દ્વેષ કરવો નહીં. કેમકે એ બધું કર્મનું સ્વરૂપ છે.
(૩) નાકનો વિષય સુગંઘ, દુર્ગઘ છે. સુગંધથી રાજી થવું નહીં, તેમજ દુર્ગધથી કંટાળવું નહીં.
નંદિષણનું દ્રષ્ટાંત – નંદિષણ મુનિ એ રોગી મુનિઓની સેવા કર્યા પછી જ છઠ્ઠનું પારણું કરવું એવો અભિગ્રહ લીધો હતો. તેમની પરીક્ષા કરવા દેવ, મુનિનું રૂપ ઘારણ કરી નંદિષેણ મુનિ પાસે આવી કહેવા લાગ્યો કે તમે પારણું કરવા બેઠા છો પણ બગીચામાં મુનિ તો પીડા પામે છે. તે સાંભળી તુરંત ત્યાં જઈ મુનિને ખભા ઉપર બેસાડી ઉપાશ્રયમાં લઈને આવે છે. ત્યાં રસ્તામાં તેમના ઉપર ભયંકર દુર્ગઘમય મળ ત્યાગ કર્યો. છતાં તેમણે દુગંછા કરી નહીં. પણ મુનિનો ગુણ જ જોયો કે અહો! એમને હજા કેટલી વ્યાધિ ભોગવવી પડે છે. નંદિષેણ મુનિના આવા ભાવ જાણી દેવ પ્રગટ થઈ સ્તુતિ કરી દેવલોકે ગયો. તેમજ ફુલોની સુગંઘથી પણ રાજી થવા જેવું નથી. કેમકે તે પણ અંતે નાશ પામવાની છે. ર૧ના
ઘર ના રતિ રસમાં અતિ, અરતિ ન નીરસતા પ્રતિ, ૫ને રાગ કર ના મઘુર સ્પર્શ, ખીજ નહિ માટે અતિ; સમભાવ સર્વે સ્થિતિમાં સાચા મુનિ તો સાચવે,
પ્રતિકૂળ ને અનુકૂળ પરિષદમાં ઘરજ ખરી દાખવે. ૨૨ અર્થ :- (૪) કોઈપણ સ્વાદના રસમાં અતિ રાગ કરવો ઉચિત નથી. મંગૂ નામના આચાર્ય રસમાં લુબ્ધ થવાથી મરીને યક્ષ બન્યા. તેમજ નીરસ ભોજનમાં પણ અરતિ એટલે અણગમો કરવો નહીં. શુદ્ધ ભોજન મળી આવે તેમાં સંતોષ માનવો.
(૫) સ્પર્શ ઇન્દ્રિયનો વિષય કોમળતા છે. શરીરના સુવાળાપણામાં મોહ કરવો નહીં. તેમજ કઠણ સ્પર્શ, ભૂમિ કે ચટાઈ વગેરેથી અણગમો લાવવો નહીં. સાચા મુનિ આવી સર્વે સ્થિતિમાં સમભાવને