Book Title: Pakistanma Jain Mandiro
Author(s): Mahendrakumar Mast
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 193
________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો પ્રકરણ : ૫૮ ગોરી જિન મંદિર (દેરાસર) ૩૦૦ વર્ષથી વધુ સમયથી, રણની રેતીથી છવાયેલ “ગોરી મંદિર” અથવા ગોરી મંદિર થરપારકરમાં એકાકી ત્યજાયેલ અવસ્થાસ્થિત છે. કાળક્રમે પ્રાચીન સંસ્કૃત વિસ્મૃત અવસ્થામાં છે. તિમિર હટાવવા મીણબત્તી પણ સળગાવનાર કોઈ નથી કે કોઈ દેવાસી ધૂપસળી (અગરબત્તી)ની જ્યોતિ પ્રગટાવવા પ્રાંગણમાં દેખાતી નથી કે નથી કોઈ વ્યક્તિ ગીતોનો મધુર ધ્વનિ અભેદ નિર્જન સ્થાનમાં કર્ણપટ પર પડતો. એક સમયના પડઘા ભવ્ય દેવસ્થાનના પોકાર સંભળાતા બંધ થઈ ગયેલ છે. ઈસ્લામકોટ અને નગરપારકરની વચ્ચે આવેલ એક રહસ્યથી ઘેરાયેલ ગોરી મંદિર છે. તેનું મૂળ નામ સુદ્ધાં બદલાતાં બદલાતાં એક લેખિત ઇતિહાસ આ મંદિરના ન રહી શકવાના કારણે તેના મૂળની એકમાત્ર કથા કહે છે કે, આ મંદિર ૩૦૦ વર્ષથી (ઇસ્વીસન) ગોરીકા નામના જૈન ભક્ત બંધાવેલ હતું. આ કથા તે ઇતિહાસવિદ્દ રાયચંદ રાઠોડે તેના તેના ગ્રંથ પ્રાચીન થરપારકર’માં વર્ણવેલ છે અને ગોરીકો એક જૈન સાધુ હતા અને મહાવીર પ્રભુના અનુયાયી હતા. (૧૯૯-૫૨૭ ઈ.સ.) આ મંદિરના પર પગથિયા અને અનેક નાના ખંડો હતા, જેમાંના થોડા તો એક જ આરાધકનો સમાવેશ થઈ શકે તેવા હતા. હેતુ ધાર્મિક હોવા છતાં આ મંદિરના પતનમાં રાજખટપટનો મોટો હાથ હતો. અંગ્રેજ સેના દ્વારા ખંડિત થયેલ મૂળ બ્રિટિશ સત્તા સામેનું એક કાવતરું હતું. નગરપારકર શહેરની મધ્યમાં બીજું એક જિન મંદિર આવેલ છે જે પણ જીર્ણ અવસ્થામાં છે અને દીવાલો ખંડિત થયેલ છે, પાંચ સદી જૂની છે. ફ્લોરા ફૌનાનાં ભીંતચિત્રો છે. જૈનોએ અહીં જળ, સુખડ, પુષ્પ, ધૂપ, ચોખા અને ફળ ચઢાવેલ હતાં. વીરાવ મંદિર પણ એક શિલ્પસ્થાપત્ય થર પ્રદેશનું છે. આ બધા સિંધી સંસ્કૃતિના ઐતિહાસિક વારસારૂપ છે, પણ ખંડેર અને બિસ્માર છે. સરકારની હાજરી ફક્ત પર્યટકો ઈમારતોને નુકસાન ન પોંચાડે તેવા આદેશરૂપ છે. તેમ છતાં એક પણ ૧૬૮)

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238