Book Title: Pakistanma Jain Mandiro
Author(s): Mahendrakumar Mast
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 197
________________ ---------પાકિસ્તાનનાં જૈન મંદિરો--------------- પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બનવા અને વારસાગત સ્થાનોની જાળવણી માટે અને પુનર્વિકાસ કરવાની સંભાવના બની રહે. થર એક્સપ્રેસના વિકાસથી ભારતની જૈન વસ્તીઓને આકર્ષી શકાશે અને ધાર્મિક પ્રવાસનનો વિકાસ કરી શકાશે તેમ તે કહે છે. આ યાત્રાસ્થળ સ્થાનિક લોકોને રોજગારી અને નોકરી-ધંધાની તકો બક્ષવા ઉપરાંત ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વિકસાવશે તેમ તે કહે છે. વીરાવાહ મંદિરના બે સ્તંભો પણ જાળવી રખાયેલ છે જે આ બ્રિટિશ રાજના સમયના કરાચી નેશનલ મ્યુઝિયમમાં જોવામાં આવે છે. સરકારે સિંધના વિકાસ માટે ૫૦૦ મિલિયન અને વધુ ૫૦૦ મિલિયન દસવર્ષીય યોજનાની અંતર્ગત જાળવણીના કામ માટે જુદા તારવ્યા છે જે ૨૦૧૧ સુધી વિસ્તૃત થશે. ૮૧ વર્ષીય ચાચા અલી નવાઝ નગરપારકરની એક માનનીય વ્યક્તિવિશેષ જણાવે છે કે તેઓ ભાગલા પહેલાં થરપારકરમાં જૈનધર્મીઓના નિવાસના તેઓ સાક્ષી છે, પરંતુ ભાગલા બાદ પાકિસ્તાન ૧૯૪૭માં સ્વતંત્ર થયું, પરિણામે તેઓ ભારતમાં હિજરત કરી ગયા અને સાથે પ્રતિમાઓ પણ લઈ ગયા. ભાગલા પહેલાં પરીનગરમાં આશરે ૮૦૦ જૈન પરિવારો હતા, પરંતુ તેઓ ઠાકુરો દ્વારા લુંટાયા અને પરિણામે ભારત પ્રતિ સ્થળાંતર કર્યું. ૧૭૨

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238