Book Title: Navpada Prakash Part 1
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 233
________________ ૨૧૦ નવપદ પ્રકાશ વિચારણામાં વિશેષ તો ભેદ-છેદ કરવાનો છે. તે વખતે ખાસ વિશેષતા, ખાસ ધ્યાન, ખાસ સાવધાની એ રાખવાની છે કે અરિહંતના પર્યાય સાથે આપણામાં કેટલી પરિણતિ થઈ તે જોવાનું છે. એકલે અરિહંતને ચોપડો ન વાંચીએ, જોડે જેડે આપણે પણ વાંચતા જઈએ, એમ કરવું જોઈએ. તે ન થાય તો પેલી હરણની કથા જેવું થાય, - ઉદાહરણ-ભટ્ટજી કથા કરતા હતા, “જુઓ, રાવણે સીતાનું હરણ કર્યું સભામાંથી “જી બોલ્યા, પણ સાંભળનાર ડોબા જેવા હતા. ભટ્ટજીએ તેમને પૂછ્યું, “સમજી ગયા ? ” શ્રોતા: “હા પણ હવે રાવણ હરણને શું કરશે ? આ શું કર્યું? “સીતાનું હરણ કર્યું તે સમજવામાં શ્રોતાએ બુદ્ધિ ન વાપરી, અરિહંતનું પાન કરીએ તે બુદ્ધિ વાપરવી કે “મારે અરિહંત સાથે શું લેણદેણ છે? કોને ખબર મારા આત્મા પણુ અરિહંત હોય તે ? મારુ દ્રવ્ય ઊંચું હોય તો તો શું કામ નીચાણમાં વહી રહુ છું ? મારે તો ઊંચે વહવાનું છે, અરિહંતનું આપણે દ્રવ્ય-ગુણુ-પર્યાયથી ધ્યાન કરતાં કરતાં નીચાણમાં વહેતા આત્માને ઊંચે વહેડાવવાને છે: પંપ લગાડવાને છે, ફેસ લગાડવાનું છે, ચિંતન ને પ્રગતિ અરિહંતનું ધ્યાન કરીએ એ આપણા આત્માને લાગુ કરવાનું તેની સાથે સંબંધ જોડવાનો કે “આમાંથી મારે કેટલું કરવાનું ? ” આ શ્રવણની ગંભીરતા છે, ગંભીર બને તો રહસ્ય સમજાય, દ્રવ્ય-ગુણ-પર્યાયથી અરિહંતનું ચિંતન કરતાં, આપણા આત્મામાં કેટલી પ્રગતિ થઈ તે ચિંતન કરતા જઈએ તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276