Book Title: Navpada Prakash Part 1
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 246
________________ અરિહંત ૨૨૩ જવાના, કેમકે એ માન વગેરે બધું કાયાના લાભના છે. આત્મા માટે તે એ કષાયેના કચરા વધારનાર છે. આત્માને નજર સામે રાખ્યો એટલે આત્મામાં કચરા વધારવાના નથી, પરંતુ સાફ કરવાના છે. એટલે જ પાપ વિક કે મફતિયા વિચાર ને વિકલ્પ-વિચારોથી બચવા અધ્યયનમાં વિશેષ તન્મયતા રહેશે. એનું નામ સ્વાધ્યાય છે, આત્મધ્યાનની આવશ્યકતા : આત્મધ્યાન ઊંધા વેતરણ કાઢવા માટે સીધાં વેતરણ રૂપ છે. એટલે જ અત્યાર સુધી દાત. જીભથી ખાવાની લાલચ રાખી હતી એ ઊંધા વેતરણ હતાં, એ કાઢવા માટે તપનાં સીધાં વિતરણ જ કામ લાગે, અત્યાર સુધી આંખેથી જગતનું સારું સારૂં જવાના ઊંધા વેતરણ હતાં, તે કાઢવા માટે હવે પ્રભુ દર્શન, ગુરુ દશન, શાસવાંચન વગેરે સીધાં વેતરણ જ કામ લાગે. અત્યાર સુધી પાપ વિકલપનાં ઊંધા વિતરણ હતાં, તે અટકાવવા માટે શાસ્ત્ર સ્વાધ્યાયનાં જ સીધાં વેતરણ જોઈએ. અત્યાર સુધી જડ પદાર્થોની આશાઓનાં ઊંધાં વેતરણ રાખેલાં, તે સર્વ ત્યાગરૂપ ચારિત્રનાં તલસાટ, સ્વીકાર ને પાલનનાં સીધાં વેતરણથી જ મટે. માટે તો સંપ્રતિ રજાના જીવ ભિખારીની દીક્ષાનું પણ મહત્ત્વ હતું અને તે માત્ર અડધા દિવસના ચારિત્રના ફળ રૂપે એક લાખ નવાં જિનમંદિર અને સવા કોડ નવાં જિનબિંબ તેમજ ૩૬૦૦૦ જિર્ણોદ્ધારને કરાવનાર રાજા સંતતિને અવતાર મળે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276