Book Title: Navpada Prakash Part 1
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 262
________________ અરિહંત છે અને હિંસાદિ દુષ્ક કરીને કરેલાં, તે કર્મો માત્ર જિનભક્તિથી નાશ કેમ પામે? ઉ– આ સમજવા માટે પહેલાં અરિહંત પ્રભુને સમજી લેવા જેવા છે કે એ કેટલું વિત્તમ દ્રવ્ય છે. વિચારે, અરિહંત ભગવાન શી રીતે થયા ? ત્યારે, પહેલું તો એ જયારે આ સંસારમાં અનંત કાળની ભ્રમણ પછી પહેલું સમ્યકત્વ પામે છે, તે અદ્દભુત ગ્યતાથી ! અરિહંતની સમ્યકત્વ પ્રાપ્તિ : દા. તમહાવીર ભગવાનનો જીવ મુખી નયસાર જંગલમાં સમ્યક્ત્વ પામ્યા. તે જે વિકરાળ જંગલમાં પિતાને ય શિકારી પશુના ભય સામે શો લઈને જવું પડેલું, ત્યાં જમવાના અવસરે અતિથિને યાદ કરે છે. મળે ત્યાં અતિથિ? પણ પોતે જાતે તપાસ કરવા નીકળે છે. કેવી યેગ્યતા ! ત્યાં નસીબ જોગે ભૂલા પડેલા મુનિઓ મળી ગયા તો એમને આહારપાણીનું દાન કરી, જાતે રસ્તો બતાવવા જાય છે. કેવી યોગ્યતા! પાસે નોકરે છે, પણ નોકરને આ કામ નહિ ભળાવવાનું ! કેમ ? મોટા માણસની સરભરા ભાડતી નોકર પાસે ન કરાવાય. તમે ભગવાનની પૂજાવિધિ-સરભરા પગારદાર પૂજારી પાસે કરાવે છે એ કેટલું વ્યાજબી છે ? એમાં તમારી યોગ્યતા પરખાય છે. નયસાર મુનિઓને રસ્તે ચડાવી પાછા વળવા જાય, ત્યાં મુનિઓ કહે: “અમારે તને કાંઈક કહેવું છે.' ત્યાં તે “હવે માફ કરે, બહુ સમય ગયે, મારે મારાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276