Book Title: Navpada Prakash Part 1
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 243
________________ નવપદ પ્રકાશ વિના મટે નહિ અને તે વિના આમ સમૃદ્ધિ પ્રગટે નહિ તો પછી અહીં આમધ્યાનથી આમ સમૃદ્ધિઓ આવી મળે એટલું જ કહ્યું, એનું શું ? આતમ-ધ્યાનનો અર્થ : ઉ–અહીં “આતમસ્થાનને અર્થ એ છે કે બધી આત્મ-હિતની પ્રવૃત્તિઓ કેન્દ્રમાં આત્માને પૂરો ખ્યાલ રાખીને કરવાની છે, આભાને ઉદ્દેશીને કરવાની છે, અને આમાના સ્થિર લક્ષ સાથે કરાતી હિતપ્રવૃત્તિઓ પણ આત્મ-ધ્યાનરૂપ છે-એ વાત વિચારાઈ ગઈ છે. “જ્ઞાનધ્યાનમાં ઉજમાળ રહેજો – હિતવચનમાં “ધ્યાન શબ્દથી એકાગ્રતાપૂર્વક કરાતા ધાર્મિક આચાર-ક્રિયાઓ જ લેવાની છે. જ્યારે “આત્મધ્યાન” શબ્દથી મુખ્ય ઉદેશે આત્માનો લીધો એટલે પછી દેવદર્શનાદિ હિતપ્રવૃત્તિઓ દુન્યવી સુખના ઉદ્દેશથી નહિ કરાય; કેમકે એ સુખ તે આત્માના નહિ કિન્તુ કાયાના, કાયા અને ઈન્દ્રિનાં, સુખ છે, આભાના ઉદ્દેશમાં તો આ સુખ નહિ પણ કલ્યાણ આવે. અણસમજુ જીવ બધું સુખ માટે કરે છે. સમજુ જીવ બધું કલ્યાણ માટે કરે છે. એટલે આતમધ્યાને કહીને આત્માના મુખ્ય લક્ષવાળી જ શુદ્ધ આત્મકલ્યાણ માટેની હિત પ્રવૃત્તિઓ લેવાનું સૂચવ્યું. એ પણ એકાગ્રતાપૂર્વક અર્થાત તન્મય થઇને કરાય તો જ ધ્યાનરૂપ બને; તેથી એને તન્મય થઈને કરવાનું સૂચવ્યું. બે વાત થઈ:હિત પ્રવૃત્તિઓ (૧) આત્માના જ ઉદ્દેશથી કરવાની, અને (૨) એકાગ્રતા-તન્મયતાપૂર્વક કરવાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276