Book Title: Namaskar Mahamantra Tattvachandrika
Author(s): Abhaysagar
Publisher: Shri Manubhai Shah Rajkot
View full book text
________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્વચંદ્રિકા
૧૦૪
વિક જણાવવાનું કે શ્રી નવકારમાં અનંત શક્તિઓ છે, શ્રી નવકાર શકિતઓનો ભંડાર છે, આદિ વાકયો સ્થૂળ વ્યવહારનયની અપેક્ષાએ છે. તે બાળજીવોને પ્રાથમિક કક્ષામાં શ્રદ્ધા ઊપજાવી આરાધના માર્ગે આગળ વધવા માટે સાપેક્ષ રીતે ઉપયોગી છે. પણ હકીકતમાં શ્રી નવકારથી આપણા આત્મામાં સત્તાગતે રહેલ સઘળી વિશિષ્ટ શક્તિઓ પ્રાદુર્ભાવ પામે છે. એટલે શ્રી નવકારના જપથી આપણા આત્મગુણોને આવરી રહેલ મોહનીય આદિ કર્મોના આવરણ ક્ષીણ થાય છે. પરિણામે અંદરની શક્તિઓ પ્રગટ થાય છે. એટલે હકીકતમાં શ્રી નવકાર એ શુદ્ધ સાધન છે કર્મનિર્જરાનું. તેથી તે આપણી આત્મશક્તિઓના વિકાસ માટે પુષ્ટ આલંબન બને છે. આ વાત સૂક્ષ્મ પારમાર્થિક નિશ્ચય નયની ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. નહીં તો શ્રી નવકારમાં ઘણી શકિતઓ છે એટલે આપણે આરાધના કરીશું એટલે મળી જશે એમ કરી યાચકવૃત્તિ – માંગણખોરીની ખોટી ટેવ વિકસવા પામે. પણ નિશ્ચય નયની વાત મગજમાં રાખવાથી, આપણામાં છૂપી રહેલી અનંતશકિતઓનું ગુરુગમથી યથાર્થ ભાન થવાથી, તેના આવિર્ભાવ માટે યોગ્ય પુરુષાર્થ અને તે માટે પુષ્ટ આલંબનરૂપ શ્રી નવકાર મહામંત્રની ઉપયોગિતા પર સુદઢ વિશ્વાસ જામશે. વળી વ્યવહારનયની વાત કે “શ્રી નવકારમાં અનંત શક્તિઓ છે” એ વાતના મૂળમાં હકીકતે આપણી શક્તિઓને પ્રગટ કરવામાં નિમિત્તરૂપ શ્રી નવકાર હોઈ ઉપચાર વાકયરૂપે એમ કહી શકાય કે શ્રી નવકારમાં સઘળી શક્તિઓ છે.
આ વાત આ રીતે સ્પષ્ટ ન સમજાઈ હોય તો ચમત્કાર અને મનોવાંચ્છા - કામનાઓ પૂરી કરવાની શકિતઓ શ્રી નવકારમાં છે તેના પર વધુ ઝોક થઈ જાય. સરવાળે આત્માની મૌલિક જ્ઞાન – દર્શન - સ્વરૂપ રમણતા, સ્વરૂપ, સ્થિરતા, અનંત અવ્યાબાધ સુખ, અરૂપીપણું, અનંતીવીર્ય, આદિ સાહજિક મૌલિક ગુણો તરફ આપણું લક્ષ્ય ન જાય – તે ગૌણ પણ થઈ જાય. તેથી નિશ્ચયનયને દષ્ટિગત રાખવાની ખાસ જરૂર છે.
શરૂઆતમાં બાળજીવોને લક્ષ્યાભિમુખ કરવા માટે વ્યવહાર નયથી સર્વશક્તિઓ શ્રી નવકારમાં છે એ વાત પ્રાથમિક રીતે ધ્યાન પર લેવાય, પણ યોગ્ય જ્ઞાની ગુરુએ ધીમે ધીમે નિશ્ચયનયવાળી વાતને મગજમાં સ્થિર કરવાની જરૂર છે. વિવેકબુદ્ધિનો ઉપયોગ ન કરાય તો નયવાદની અટપટી ગૂંચોમાં લાભ કયારે ખોવાઈ જાય એ કહેવાય નહીં. ખરેખર તો – નિશ્ચયનય એ આંખ સામે રાખવાની ચીજ છે. વ્યવહારનય અમલમાં મૂકવાનો છે. નિશ્ચયનયથી વસ્તુનું પારમાર્થિક સ્વરૂપ સમજાઈ જાય તો તેને પામવા અવાંતર પુરુષાર્થની ક્રમિક કક્ષાઓ વ્યવસ્થિત રીતે પસાર કરી શકાય, નહીં તો પુરુષાર્થની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384