Book Title: Lokprakash Part 05
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Namaskar Aradhak Trust, Mumbai

View full book text
Previous | Next

Page 388
________________ ગુણસ્થાનકમાં ભાવો. ૩૫૫ भावाः स्वाम्यादिभेदेन विशिष्यैवं निरूपिताः ।। सामान्यतः संभविनो भावान् वच्मि गुणेष्वथ ॥ १६१ ।। त्रयस्त्रिषु गुणस्थाने-ष्वाद्येषु ते च पूर्ववत् । तुर्यादिष्वष्टसु पुनः प्रत्येकं पंच कीर्तिताः ॥ १६२ ॥ तथाहि-सम्यत्त्क्वमौशमिकं चतुर्थादिगुणाष्टके । क्षायिकं च चतुर्थादि-ष्वेकादशसु संभवेत् ॥ १६३ ॥ मिश्रं सम्यक्त्वेद्रियादि चतुर्थादिचतुष्टये । खचारित्रे चाष्टमादौ त्रय एकादशे तु खं ॥ १६४ ॥ गतिः सर्वत्रौदयिकी जीवत्वं पारिणामिकं । एवं भावित एतेषु भावपंचकसंभवः ॥ १६५ ।। क्षीणमोहे च चत्वार-स्त औपशमिकं विना । अंत्यद्वये त्रयो भावा मिश्रौपशमिको विना ।। १६६ ॥ पंचाप्येवं मूलभेदा गुणस्थानेषु भाविताः । एतेष्वेवाथ भावानां प्रतिभेदान् प्रतन्महे ॥ १६७ ॥ ઉપર પ્રમાણે સ્વામી આદિના ભેદથી વિશેષ રીતે ચૌદ ગુણસ્થાનકે ભાવો કહ્યા. હવે સામાન્ય સંભવિત ભાવ ગુણ સ્થાનોમાં કહે છે. ૧૬૧. . પહેલાં ત્રણ ગુણસ્થાનમાં ત્રણ ભાવ પૂર્વ પ્રમાણે છે. ચોથાથી અગ્યારમા સુધી આઠ ગુણસ્થાનમાં દરેકમાં પાંચ ભાવ કહ્યા છે. ૧૬૨. તે આ પ્રમાણે-ઓપથમિક સમ્યકત્વ ચોથાથી અગ્યારમા સુધીના આઠ ગુણસ્થાને હોય છે. ચોથાથી ચૌદમા સુધી અગ્યાર ગુણસ્થાને ક્ષાયિક સમ્યકત્વ હોય છે. ૧૬૩. ચોથાથી સાતમા સુધી ચાર ગુણઠાણે ક્ષાયોપથમિક સમ્યકત્વ અને ઈન્દ્રિયાદિ હોય છે. આઠમા વિગેરે ત્રણ ગુણઠાણે ઈન્દ્રિયો અને ચારિત્ર અને ક્ષયોપશમ ભાવના હોય છે, અને અગ્યારમે ઈન્દ્રિયો જ ક્ષયોપશમ ભાવની હોય છે. ૧૬૪. " ગતિ સર્વત્ર ઔદયિકી હોય છે, જીવત્વ પારિણામિક ભાવનું હોય છે. આ પ્રમાણે એ આઠ ગુણઠાણે પાંચ ભાવોનો સંભવ કહ્યો. ૧૬૫. ક્ષીણમોહ ગુણઠાણે ઔપથમિક વિના ચાર ભાવ હોય છે અને છેલા બે (૧૩-૧૪) ગુણસ્થાને ક્ષયોપશમ અને ઉપશમ વિના ત્રણ ભાવ હોય છે. ૧૬૬. એ પ્રમાણે પાંચ મૂળભેદ ગુણસ્થાનોમાં કહ્યા હવે ગુણસ્થાનોમાં તે તે ભાવોના ઉત્તર ભેદ કહેવાય છે. ૧૬૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418