Book Title: Kayvanna Rasmala
Author(s): Bhanuben Shah
Publisher: Jain Sahitya Prakashak Samiti

View full book text
Previous | Next

Page 7
________________ ))))))))))))))))))))É000 આવકાર - અભિનંદન ડૉ. ભાનુબેન શાહ (સત્રા) મૃત સાગરની યાત્રા કરીને ભાવોદધિથી પાર પામવા માટે છે અનુમોદનીય, અનુકરણીય ધર્મપુરુષાર્થની સાધના કરી રહ્યા છે. કવિ ઋષભદાસ કૃત “સમકિત છે હું સાર રાસ' ઉપર ઈ.સ. ૨૦૦૯માં મુંબઈ યુનિવર્સિટીમાંથી Ph.D. ની પદવી મેળવી. આ શોધ નિબંધ $ પછીથી ‘સમ્મત્તમ્' શીર્ષકથી પુસ્તક રૂપે પ્રકાશિત થયો પરંતુ ડોક્ટરેટની ડીગ્રી લઈ આ ગૃહિણી $ “નિરાંત’ લઈને બેસી ન રહ્યા પણ વિદ્યોપાસના અર્થે જ્ઞાનસાગર સમક્ષ પલાંઠી વાળીને જ્ઞાની $ નિમગ્ન થઈ સતત કાર્ય ચાલુ જ રાખ્યું. “ડૉક્ટર ઓફ ફિલોસોફી' (વિધા વારિધિ)ની પદવી પ્રાપ્ત કર્યા પછી તેમણે નીચેનાં શું પુસ્તકોનું સંશોધન કરી તે પુસ્તકોને પ્રકાશન કર્યા છે. ૧. સમ્મતમ્ (કવિ બદષભદાસકૃત સમકિતસારરાસ) - ઈ.સ. ૨૦૧૦ ૨. રાસરસાળ (કવિ ઋષભદાસ કૃત શ્રેણિક રાસ અને અભયકુમાર રાસ) - ઈ.સ. ૨૦૧૧ ૩. રોહિણેય રાસ (કવિ ઋષભદાસ કૃત) તમસુથી સત્ત્વની યાત્રા - ઈ.સ. ૨૦૧૨ જે ૪. અજાપુત્ર રાસમાળા (મધ્યકાલીન ગુર્જર ભાષાની સાત કૃતિઓ) વિધિના લેખાની કથા - હું ઈ.સ. ૨૦૧૩ ? ૫. કયવન્ના રાસમાળા (મધ્યકાલીન મારુ ગુર્જર ભાષાની અઢાર કૃતિઓ) – ઈ.સ. ૨૦૧૫ મધ્યકાલીની ગુર્જર સાહિત્યમાં લગભગ૪૫૦ વર્ષ સુધી રાસ કૃતિઓનું સર્જન થતું રહ્યું હું છે તેથી સાહિત્યના ક્ષેત્રે આ યુગે‘રાસયુગ' તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું છે. સાહિત્યના તાત્ત્વિક, સૈદ્ધાંતિક છે છું તીર્થકરો, મહાસતીઓ , વિવિધ તીર્થો વગેરે વિષયોને લગતા રાસાઓ પ્રગટ થયાં છે. પ્રગટ રાસા હું સાહિત્ય કરતાં અપ્રગટ રાસ સાહિત્ય વિપુલ પ્રમાણમાં હસ્તપ્રતો રૂપે ગ્રંથભંડારોમાં સંગ્રહિત છે. શું કોઈ શ્રુતપ્રેમી આ હસ્તપ્રતોનો સ્પર્શ કરી સંશોધનની પ્રવૃત્તિ કરે છે. હા, સંશોધન પ્રવૃત્તિ કર્તવ્ય પરાયણતા અને ધીરજ ઉપર અવલંબે છે. ડૉ. ભાનુબેન શાહ ઈ.સ. ૨૦૧૫માં કયવન્ના રાસમાળા' નું પ્રકાશન કરી રહ્યાં છે. આ ગ્રંથ એમની સંશોધન પ્રવૃત્તિની લગન સાથે શ્રુતજ્ઞાન પ્રત્યેની અપૂર્વભક્તિ દર્શાવે છે. દીપાવલીના મંગળ દિવસે શારદાપૂજન વિધિમાં ચોપડાપૂજન વખતે શ્રી મહાવીર સ્વામી, શ્રી પાર્શ્વ પ્રભુ, શ્રી અભયકુમાર, શ્રી શાલિભદ્ર, શ્રી ગૌતમસ્વામી, શ્રી બાહુબલી વગેરેને નમસ્કાર કરીને તેની સાથે સાથે કયવન્ના શેઠનું સૌભાગ્ય હોજો એવી પણ નોંધ કરવામાં આવે છે. આ ભગવાન મહાવીર સ્વામીના ૧૪૦૦૦ સાધુ વૃંદમાં તેમની ગણના થાય છે, આ ઐતિહાસિક મહાપુરુષ વિશે પ્રગટ-અપ્રગટ હસ્તપ્રતોનું સંશોધન કરીને પ્રસ્તુત રાસમાળાનું ? પ્રકાશન કર્યું છે. કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર - કોબા; ગીતાર્થગંગા – અમદાવાદ; ભાંડારકર ; ઈન્સ્ટીટયૂટ - પૂના; એલ.ડી. ઈન્સ્ટીટયૂટ ઓફ ઈન્ડોલોજી - અમદાવાદ; મુંબઈ યુનિવર્સિટી જેવા કે વિવિધ ગ્રંથાલયો ઉપરાંત વિદ્વાન વ્યક્તિઓનો સંપર્ક અને પત્ર દ્વારા રાસમાળાની માહિતી કે એકત્રિત કરીને આ ભગીરથ કાર્ય કર્યું છે. ભરફેસરની સઝાયમાં ત્રેસઠ મહાપુરુષોનો ઉલ્લેખ થયો છે. તેમાં કયવન્ના શેઠ(મુનિ) છે 99090 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 )))) ))) 8

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 622