Book Title: Kasturi Prakar
Author(s): Punyapalsuri
Publisher: Parshwabhyuday Prakashan

View full book text
Previous | Next

Page 105
________________ કીર્તિ પ્રત્યે કાળા કુચડા સમાન, વિશ્વાસરૂપી ભૂમિતલને ખોદવા માટે હળની અણી સમાન, વિવિધ અનર્થની પીડારૂપ વનને વિકસિત કરવા માટે મેઘ સમાન, લોકાપવાદના ક્રીડાંગણ સમાન, પ્રેમરૂપી ગાઢા વાદળાઓના સમૂહને વિખેરવા માટે પવન સમાન તથા આદરરૂપી ઘાસના અંકુરાને ઉખેડવા માટે ભુંડ સમાન અસત્ય ભાષાને કોળસા જેવા કાળા આશયમાંથી જન્મેલી મતિવાળો માણસ બોલે છે. ।।૧૩૬।। જેમ હાથીના મસ્તકે સિંદુર, ઘરમાં દીવો, શરીરમાં પ્રાણ, સ્ત્રીમાં તારુણ્ય, આકાશમાં સૂર્ય, રાત્રીમાં ચન્દ્ર, દેવાલયમાં પ્રતિમા, અને કપાળે તિલક ભૂષણરૂપ થાય છે તેમ મનુષ્યોના મુખમાં કીર્તિના ક્રીડાગૃહ સમાન સત્ય વચન ભૂષણરૂપ થાય છે. ।।૧૩૭।। મોટુ દાન આપવાથી ધનની હાની થાય છે. શીલપાળવાથી ભોગનો વિયોગ થાય છે. તપ કરવાથી કાયાની દુર્બળતા થાય છે પરંતુ નિષ્પાપવચન બોલવાથી કાંઈ જ નુકસાન થતું નથી. ।।૧૩૮।।

Loading...

Page Navigation
1 ... 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140