________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન વિકાસનાં વીસ સોપાન કોઈ વસ્તુ લેવાનો પ્રયત્ન ન કરે, કારણ કે તેથી અન્ય મહેમાનોની વચમાં બે આબરૂ થવાશે.
મા કહે અરે ! તું શું વાત કરે છે. હું કંઈ મૂર્ખ છું કે ઘરની આબરૂને ધૂળભેગી કરું ? તું તદ્દન નિશ્ચિત રહેજે. આમ વિચારી તેઓ ખૂબ ઉત્સાહપૂર્વક વિવાહોત્સવમાં પહોંચી ગયાં. જ્યારે ઉત્સવ પૂર્ણ થયો ત્યારે સગાં સ્નેહઓ સૌ વિદાય થવા લાગ્યાં, ત્યારે સૌની નજર ચૂકવી તેણે બે ચાર કપડાં ચોરી લીધાં. પુત્ર મા પર ધ્યાન રાખતો હતો તેણે માને ચોરી કરતાં જોઈ, અને તરત જ બોલી ઊઠ્યો.
મા ! તું આ શું કરે છે?
મા - બેટા હું કંઈ ચોરી કરતી નથી. પણ મારી ટેવને થોડો ખોરાક આપી રહી છું.
આ વાત અન્ય વ્યક્તિઓના ખ્યાલમાં આવી. પુત્ર બિચારો માને લઈને તરત જ ત્યાંથી વિદાય થયો. એકવાર જે કોઈપણ કુટેવને વશ થાય છે તેનાથી છૂટવું મુશ્કેલ થાય છે. કુટેવથી બચવા સારી સોબત, સારું વાંચન અને સર્બોધ શ્રેષ્ઠ સાધન છે.
“પડી ટેવ તે ટળે કેમ ટાળી?
વિચારીને તું ઉચ્ચાર વાણી.” ૨. પ્રાચીન કાળમાં કોઈ સમય એવો હતો ચોરીની ભયંકર સજા થતી, જે હાથો વડે ચોરી થાય તે હાથો કાપી નાંખવામાં આવતા.
એક નગરમાં બે સહોદરભાઈઓએ સંસારનો ત્યાગ કરી સંન્યાસ લીધો તેમનાં નામ શંખ અને લિખિત હતાં રાજાએ આ સંન્યાસીઓને તેમના નિર્વાહ માટે એક બગીચાના બે સરખા ભાગ કરી વહેંચી આપ્યા.
એકવાર નાનો ભાઈ લિખિત બગીચામાં ફરતો ફરતો શંખ સન્યાસીના ભાગમાં જઈ ચઢ્યો વળી સુધા પ્રેરિત તેણે એક વૃક્ષ પરથી ફળ તોડી વગર રજાએ ખાઈ લીધું. યુધાના શમન પછી તેને યાદ આવ્યું કે અરે ! મેં તો ચોરી કરી. તે તરત જ શંખ સંન્યાસી પાસે ગયો, અને પોતે ફળની ચોરી કરી હતી તે વાત કહી દીધી. શંખતો ઉદારચિત્ત હતો, તેણે તરત જ તેને ક્ષમા આપી.
પરંતુ લિખિતને કંઈ એથી સંતોષ ન થયો. તે સંન્યાસી અને ધર્મોપદેશક હતા. તેમનું મન ક્ષમાથી શાંત ન થયું. તેમને પોતાની અજાગૃતિના દોષ વિશે ઘણો ખેદ થયો. જે પોતે ધર્મ ઉપદેશ કરે તે જો
For Private And Personal Use Only