________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨ શ્રી જૈન સત્ય પ્રકાશ
શ્રાવ હીરવિહાર'ની પ્રતિષ્ઠા નેમિસાગર વાચકે કર્યાનું જણાવ્યું છે, જ્યારે નિજામપુરના “હીરવિહારની પ્રતિષ્ઠા પં. લાભસાગરજીએ સં. ૧૬૭૩ ના પૌષ વદિ ૫ ને ગુરૂવારે કર્યાનું જણાવ્યું છે.
નિજામપુરના “હીરવિહાર'નું વર્ણન કવિએ વિસ્તારથી આપ્યું છે. આ વર્ણન એ હીરવિજયસૂરિની મૂર્તિનું નથી, પરંતુ “મંદિર નું છે. આ “મંદિર' એટલે હીરવિજયસૂરિનું મંદિર નહિ, પરંતુ જિનેશ્વરનું મંદિર સમજવું કારણ કે –
ચઉસિઈ વેદિકા સુહાવઈ પાદુપીઠિકા જિનતણહ ૧૮ આ ઉપરથી સ્પષ્ટ છે કે મંદિરમાં મૂલનાયક તો જિનેશ્વર ભગવાનની મૂર્તિ જ હતી. આ મંદિરમાં જુદા જુદા ગૃહસ્થોએ હીરવિજયસૂરિ, વિજયસેનસૂરિ અને બીજા કોઈ ત્રણ વાચકોની પાદુકાઓ સ્થાપન કર્યાનું પણ વર્ણન છે.
પ્રતિ અધૂરી છે. જે આની બીજી પૂરી પતિ મળે તો અન્તિમ વર્ણન શું છે, તે જાણવાનું પ્રાપ્ત થાય.
આ વિષયના અભ્યાસિઓના ઉપયોગને માટે જેટલો ભાગ મળે છે, તે અક્ષરશઃ આ નીચે આપું છું—અને આ પ્રતિને ઉપયોગ કરવા આપનાર મુનિરાજશ્રી જયવિજયજીનો આભાર માનું છું.
માપધ્ધર થી પ નેમિલી મણિપુ નઃ | સરસતી ભગવતી ભારતી, સમરી સારદ માય છે રચસિલ હીરવિહાર સ્તવન વર દિએ મુગ માય છે ૧ છે શેત્રુજ મંડણ ઋષભદેવ, અષ્ટાપદિ સ્વામી આબૂ હાર-વિહાર-સાર પ્રણમું શિર નામી ૨ નાભિ નરેશ-કુલતિલ એ, મરુદેવી મહાર યુગલાધર્મનિવારણ, ત્રિભુવન જન હિતકાર છે ૩ છે પ્રથમ રાય અણગાર પ્રથમ, ભિક્ષાચર કેવલ, પ્રથમ તીર્થંકર પ્રથમ ધર્મ પ્રકાશક નિર્મલ છે ૪ છે સમાઅસર્યા શેત્રુંજગિરિ, અષ્ટાદિ સિદ્ધ આબૂ હીરવિહારિ મૂરતિ મહિમા સુપ્રસિદ્ધ છે પ છે ધ્યાએ શ્રીનવકારમંત્ર, શેત્રુંજગિરિ યાત્ર દેવ આરહે વીતરાગ, નિમલ કર ગાત્ર છે ૬ . મહિમાવંત એ ત્રિવિણ તીર્થ, ચઉથઉ હીરવિહાર હીરવિજયસૂરિસરુએ, વયર સમ અવતાર છે ૭ છે
વસ્તુ વિમલગિરિવર વિમલગિરિવર, રિસહ જિણદેવે, . સમવસરણ દેવહિં મિલી રચિઉં, વાર પૂરવ નવાણું - અષ્ટાપદ સિદ્ધાવલી, નામ મંત્ર નિશિદિવસ આણું છે
For Private And Personal Use Only