Book Title: Jain Satyaprakash 1936 07 SrNo 13
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 29
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૨ ચંદ્રાવતી ૨૫ મૂર્તિના ખભા પાસેના વચલા ભાગનું પણ એક ચિત્ર આપ્યું છે. મૂર્તિની પહોળાઈ લગભગ ૫ થી ૬ ફૂટ, ઉંચાઈ ૩ થી ૪ ફૂટ અને પત્થરની જાડાઈ ૧૫ થી ૨૦ ઇંચ જેટલી છે. આ પ્રમાણે બન્ને તરફ દરેક પ્રકારે સમાનતાવાળી અને સાથે સાથે મોટી મહેરાબ જેવી કમાનવાળી સમાન પરિકર યુક્ત અને સરખાં જ યક્ષ અને યક્ષિણીઓવાળી બીજી કોઈ પણ મૂર્તિ હોવાનું હજુ સુધી જાણવામાં નથી. આવા પ્રકારની મૂર્તિ કયા સ્થાને સ્થાપન કરાતી હશે એ સંબંધી વાસ્તુ-વિદ્યા અને શિલ્પશાસ્ત્રના જાણકારો કંઈક ઊહાપોહ કરશે તો લોકોને ઘણું જાણવાનું મળશે. આવી કળામય અદ્દભુત પ્રતિમા કેઈએ ખંડિત કરી નાંખેલી છે, છતાંયે જૈન સંઘના સદભાગ્ય છે કે આવી અનુપમ કળામય પ્રતિમા રહી શકી છે જેથી એક અદ્ભુત કળામય જિનપ્રતિમાનાં દર્શન તો થઈ શકે છે. આ સિવાય બીજા પણ ઘણા ટેકરા અને ટીંબા ઉપર મંદિરના પત્થરો પડ્યા છે. યદ્યપિ મંદિરનો કિમતી અને મહત્ત્વનો ભાગ તે અહીંથી ઉપડી ગયો છે છતાંયે જે વિદ્યમાન છે તે પણ કાંઈ કમ નથી. પરંતુ આજે તો એ જિનમંદિરમાં પશુઓ વાસ કરે છે અને મનુષ્યો છાણાં થાપે છે અને જેને જ્યારે જરૂર લાગે ત્યારે ગમે તેવો સુંદર કળામય પત્થર કે જાળી, શિખર કે પબાસન, થાંભલો કે પ્રસ્તર ગમે તે ભાગને તોડીફાડી વિના સંકોચે લઈ જઈ શકે છે. ચંદ્રાવતી પરમારોની રાજધાની હતી. રાજપુતાના તરફથી ગૂજરાતમાં આવવાનું એ પ્રવેશદ્વાર હતું. જેમ ખબરઘાટ વટાવી હિન્દમાં આવતાં પ્રથમ પ્રવેશદ્વાર પેશાવર છે તેમ અરવલ્લી અને આબુના પહાડો વટાવી ચંદ્રાવતી થઈને ગૂજરાતમાં અવાતું. ચંદ્રાવતીની ચોતરફ મોટામેટા પહાડો તેના રક્ષણ માટે કિલ્લારૂપે ચેક કરતા ઉભા છે. ચંદ્રાવતીની પૂર્વમાં અંબાજીના પહાડે છે, પશ્ચિમ અને ઉત્તર તરફ આબુ ગિરિરાજ છે અને દક્ષિણે પાલણપુર આવ્યું છે. ચંદ્રાવતીથી આબુ ગિરિરાજ જવાનો સિદ્ધો અને તદ્દન ટુંકે છતાંયે સરલ રસ્તા હતા. આબુના જગપ્રસિદ્ધ મંદિર બન્યાં તે વખતે ચંદ્રાવતીના ટુંકા અને સરલ રસ્તેથી જ બધી સામગ્રી જતી. એ પહાડોને લીધે જ ચંદ્રાવતી અજેય મનાતું. પરંતુ ક્ષણેક્ષણે વિનાશ પામતા–પરિવર્તન પામતા આ જગતમાં કેણ સદાયે એક જ સ્વરૂપમાં ટકી રહ્યું છે કે ચંદ્રાવતી ટકી રહે. આજે ચંદ્રાવતી નાનું ગામડું છે, થોડાં ઝુંપડાં ઉભાં છે. બાકી ચંદ્રાવતીનાં ખંડેરો આજેય ચંદ્રાવતીના ભૂતકાલીન ગૌરવભર્યા ઈતિહાસ ઉપર પ્રકાશકિરણ ફેંકતાં ઉભાં છે. યદિ આ ખંડેરાની પણ સંભાળ નહિ લેવાય તે તે પણ અસ્તવ્યસ્ત થઈ જશે. ચંદ્રાવતીનો ગૌરવવો ઇતિહાસ આગામી અંકમાં આપીશ. તેનો ભૂતકાલીન ઇતિહાસ વાંચતાં સહસા હૃદય દ્રવે છે અને લાગે છે ४ ते हि नो दिवसा गताः । -:૦: For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52