Book Title: Jain Sahitya Samaroha Guchha 3
Author(s): Ramanlal C Shah
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 6
________________ સંપાદકીય જેને સાહિત્ય સમારોહ (અહેવાલે અને નિબંધ) ગુછનામને આ ગ્રંથ પ્રગટ થાય છે એ મારા માટે બહુ આનંદને અવસર છે. “જૈન સાહિત્ય સમારોહ” ગુછ-૧ ૧૯૮૫માં અને ગુચ્છ-૨ ૧૯૮૭માં પ્રગટ થયું હતું. ત્યારપછી જૈન સાહિત્ય સમારોહની પ્રવૃતિ અનિયમિત પણે ચાલતી રહી હતી, એટલે ગુચ્છ-૩ ના પ્રકાશનનું કાર્ય વિલંબમાં પડી ગયું હતું સદ્ભાગ્યે છેલ્લાં ત્રણેક વર્ષથી જૈન સાહિત્ય સમારોહની પ્રવૃત્તિ ફરી નિયમિત બની છે. તેથી ગુછ-૩ના પ્રકાશનનું કાર્ય સરળ બન્યું છે. મારા મિત્ર અને શ્રી મહાવીર જૈન વિદ્યાલય જિનાગમ ટ્રસ્ટના ચેરમેન શ્રી વસનજી લખમશી હે આ પ્રવૃત્તિને ફરી નિયમિત કરવા માટે સક્રિય રસ લઈને વહીવટી જવાબદારી સ્વીકારી લીધી છે. એથી જેન સાહિત્ય સમારોહન પ્રવૃત્તિને અને ગુચ્છના પ્રકાશનને ન વેગ સાંપડ્યો છે. ગુછ-૨ના પ્રકાશન પછી આઠ વર્ષે આ ગુણ-૩ પ્રકાશિત થનાર છે. ગયે વર્ષે માર્ચ, ૧૯૯૪માં કચ્છમાં બેર જિનાલય ખાતે બારનો જૈન સાહિત્ય સમારોહ યોજવામાં આવ્યો હતો. ત્યાર પછી તેરમે જૈન સાહિત્ય સમારોહ માર્ચ ૧૯૯૫માં રાજગૃહી (બિહાર) ખાને જવામાં આવ્યું હતું. આમ અત્યાર સુધીમાં તેર જેટલા સાહિત્ય સમારોહ યોજાઈ ગયા છે. ગુછ-૧ અને ગુછ-રમાં સાતમા જૈન સાહિત્ય સમારોહ સુધીના અહેવાલે અને પસંદ કરાયેલાં નિબંધે આપવામાં આવ્યા છે. આ ગુછ-સમાં આઠમાથી બારમા સુધીના જેન સાહિસ્ય સમારોહના અહેવાલે આપવામાં આવ્યા છે. જૈન સાહિત્ય સમારોહના ગુરછના પ્રકાશન માટે નિબંધે, અભ્યાસલેખો વગેરેની પસંદગીની બાબતમાં એવું ધોરણ રાખવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 295