Book Title: Jain Sahitya Samaroha Guchha 3 Author(s): Ramanlal C Shah Publisher: Mahavir Jain Vidyalay View full book textPage 5
________________ (૨) મહુવા, (૩) સુરત, (૪) સોનગઢ, (૫) માંડવી, (કચ્છ) (૬) ખંભાત, (૭) પાલનપુર, (૮) સમેતશિખર, (૯) પાલિતાણું, () તેર જિનાલય (કચ્છ), (૧૧) ચારૂપ (પાટણ), (૧૨) બેનેર જિનાલય (કચ્છ) અને (૧૩) રાજગૃહી–એમ તેર જેટલા જેને સાહિત્ય સમારોહ યે જવામાં આવ્યું છે. આ પ્રવૃત્તિને મળવા ઉત્સાહભર્યા સહકારની એ પ્રતીતિ કરાવે છે. જૈન સાહિત્ય સમારેહની બેઠકમાં રજૂ થયેલા નિબંધમાંથી પસંદ કરેલા નિબંધે ગુછ-૧ અને ગુછ-૨ તરીકે મંથરૂપે અગાઉ પ્રકાશિત થઈ ગયા છે. હવે આ ગુછ-૩ પ્રકાશિત થાય છે. એ અમારા માટે અત્યંત હર્ષની વાત છે. આ ગુછ૩ના સંપાદન જવાબદારી જેન સાહિત્ય સમારોહના સંયેજક ડો. રમણલાલ ચી શાહે સ્વીકારી છે અને માનાર્હ કાર્ય કરી આપ્યું છે એ બદલ અમે એમના ઋણી છીએ અને એમને ધન્યવાદ આપીએ છીએ. આ ગુછ-૩માં જે જે લેખકોના લેખે પ્રગટ કરવામાં આવ્યા છે તે તે લેખકને પણ અમે આભાર માનીએ છીએ. આ ગ્રંથના મુદ્રણકાર્યની જવાબદારી ડે. શિવલાલ જેસલપુર એ સ્વીકારી છે અને પ્રેસકોપી શ્રી ચીમનલાલ એમ. શાહ- કલાધરે ' તૈયાર કરી આપી છે એ માટે અમે તેઓ બંનેના પણ આભારી છીએ. અમને આશા છે કે જૈન સાહિત્ય સમારોહની આ પ્રવૃત્તિ ઉત્તરોત્તર વિકસતી રહેશે અને એ દ્વારા જૈન સાહિત્યના અભ્યાસ તથા સંશોધનના ક્ષેત્રે મહત્ત્વનું કાર્ય થતું રહેશે. મુંબઈ : ચૈત્ર સુદ-૧૩, સં. ૨૦૫૧ વસનજી લખમશી શાહ ચેરમેન, શ્રી મહાવીર જૈન વિદ્યાલય જિનાગમ ટ્રસ્ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 295