Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
૩૦ - અનંતનાથજી જ્ઞાન ભંડાર, મુંબઈ, શ્રી બિકાનેરવાલા શેઠ નહાતાજી, રાજકેટ જૈન જ્ઞાન ભંડાર, તથા અન્ય બીજે સ્થળેથી પણ મેળવી છે. તે સરવે સંસ્થાઓના કાર્ય વાહકોને આભાર માનું છું.
આ પુસ્તકમાં છે કાંઈ ભૂલ રહી ગઈ હોય. અથવા તે જિનાજ્ઞા વિરૂદ્ધ કંઈ પણ લખાયું હોય તે તે માટે મન વચન કાયાથી માફી માંગું છું.
કાવ્ય રસિકે, ઈતિહાસ પ્રેમીઓ ભક્તિ અને વૈરાગ્ય રચના પિપાસુઓને આ ગ્રંથમાંથી ઘેડું ઘણું પણ ઊપયોગી વાંચન-અને મનન મલશે. તે ભારે પરિશ્રમ સફલ માનીશ.
અંતમાં વાંચક વર્ગને મારી નમ્ર વિનંતી છે કે આ સ્તવને તથા કાવ્યો વાંચી પ્રભુ ભક્તિમાં એકતાન થાઓ, તન્મય બનો. ને રાજા રાવણની માફક તીર્થંકર પદ પ્રાપ્ત કરો એવી શાસન દેવ પ્રત્યે પ્રાર્થના કરી. ઊ શ્રી દેવચંદ્રજી કૃત શ્રી શાંતિનાથ સ્તવનની છેલ્લી કડી રજુ કરી વિરમું છું.
“ભલું થયું મેં પ્રભુગુણ ગાયા, રસનાનો રસ લીધો; દેવચંદ્ર કહે મહારા મનને, સકલ મનોરથ સી.
ભવિકજન હરરે.
સં. ૨૦૧૬ ચૈત્ર સુદ ૧૩ -મહાવીર જન્મ કલ્યાણકદિન
મુંબાઈ
ભાઈચંદ નગીનભાઈ ઝવેરી