Book Title: Jain Dharm Prakash 1916 Pustak 032 Ank 12
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - જેન ધર્મ પ્રકાશ. અલી શકતોજ નથી. આંધળા અને પાંગળે વનમાં એકઠાં મળી એક બીજાની સહાયથી કાચી ક્ષેમકુશળ નગરમાં પેસી શકયા.” આ રનથીની ઉત્કૃષ્ટપણે આરાધના કરનારા મડાનુભાવ તેજ ભવે, મધ્યમ રીતે આરાધના કરનારા ત્રણ ભવે અને જઘન્યપણે આરાધના કરનારા આઠ ભવે સીઝ, બુઝે, કમ—મુક્ત થાય, પરિનિવાણ પામે ચાવત્ સર્વ દુઃખોને અંત કરે. ( પરંતુ) તેની વિરાધના કરનારા રત્નત્રયીને વિરોધી ચાર ગતિ રૂપ સંસાર અટવીમાં જ રખડે. તે માટે અનંત (અવ્યાબાધમોક્ષ) સુખના અભિલાષી-આકાંક્ષાવાળા મહાનુભાવોએ આ રત્નત્રયીની આરાધના કરવાનો જ (ખાસ) ઉદ્યમ કરો. એજ સાચો અર્થ–પરમાર્થ છે. ગ્રંથ ઉપસંહાર.” શ્રી તીર્થકર મહારાજના પ્રવચનમાં જે કુશળતા તે જ્ઞાન કહેવાય છે, અને તેમાં જ જે અતિ નિર્મળ રૂચિ તે શ્રદ્ધા-સમકિત કહેવાય છે, તેમજ સદેષ (પાપ) વ્યાપારથી જે વિરમવું તે ચારિત્ર કહેવાય છે. હે ભવ્યજન! મોક્ષફળદાયક આ રત્નત્રયીને તમે સહુ ગ્રહણ કરે ! સ્વપર ઉપકારને માટે સંગ્રહિત કરેલ આ સમયસાર (પ્રવચન-રહસ્ય) ને જે મહાશય જાણે-સહે (માને) અને પાળે–તેને યથાર્થ આદર કરે તે મહાનુભાવને મોક્ષપ્રાપ્તિ સુલભ જાણવી. મેઘ અને ચંદ્રની જેમ કોને હિતકારી ( સમૃદ્ધિ અને શીતળતા આપનારા), અને દેવતાઓને ઉલ્લાસ તથા ઉન્નતિદાયક પ–કમળની જેવી કાન્તિવાળા શ્રી જિનેશ્વર પ્રભુનાં ચરણ સદાય (ભવ્યજનોને) મોક્ષ સુખ અર્પો ! વ્યંગમાં ગ્રંથકારે દેવચંદ્ર (દેવાનંદ-શિષ્યની ઉન્નતિ કરનાર) એવું નામ પણ પ્રદશિત કર્યું. (છેલ્લી ગાથામાં અંતિમ મંગલાચરણ રૂપે ગ્રંથકારે બહુ સારું રહસ્ય બતાવ્યું છે તે વિસ્તારચિજનોએ ટીકા ઉપરથી અવધારવું) શિવરંતુ સર્વે નાતા એ રીતે આરાધના વિરાધના ફળ નિરૂપણનામાં સમયસારને દશમો અધ્યાય પૂર્ણ થયે; અને સમયસાર ગ્રંથ પણ પૂર્ણ થયે. ઈતિશમ. (આ ગ્રંથ શ્રી દેવાનંદસૂરિએ માગધી ગદ્યબંધ રચેલે છે. તેના પર તેમણે પોતેજ સંસ્કૃત ટીકા રચી છે. (સંવત ૧૪૬૯) તેની ઉપરથી આ લેખ ટૂંકામાં સારરૂપે લખવામાં આવ્યું છે.) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38