Book Title: Jain Dharm Prakash 1916 Pustak 032 Ank 12
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બુદ્ધિસ્વરૂપ. ૩૮૯ ** મોટા ભાલાવડે સમગ્ર કામી પુરૂ રૂપી મૃગના હૃદયને ભેદતી હતી, અને તેણીનું મન અત્યંત કામદેવના ઉદયથી ઉન્મત્ત હતું. પેલો શૂદ્ધ પુરૂષ એકદા તે ભાર્યો સહિત દેશાંતર ચાલ્યો. માર્ગમાં તેને કોઈ ધૂર્ત પથિક મળે (સાથે થયે). તેની સાથે તે શુદ્રની ભાર્યાએ પ્રીતિ બાંધી એટલે તે પૂર્ત બોલ્યો કે–“આ તે મારી ભાર્યા છે.” અને શુદ્ધ કહેવા લાગે કે-“મારી ભાર્યા છે.” આ પ્રમાણે વિવાદ કરતાં તે બન્ને જણા માર્ગમાં કેઈ નગર આવ્યું તેમાં ગયા, અને રાજા પાસે તે બંનેના વિવાદની ફરીયાદ થઈ, તે વખતે ન્યાયાધિકારીએ તે બન્નેને જુદું જુદું પૂછયું કે—-“ગઈ કાલે તમે શું ખાધું હતું?” તેમાં શું કહ્યું કે–ગઈ કાલે મેં તથા મારી ભાર્યાએ તલના લાડુ ભક્ષણ કર્યા હતા.” પછી ધૂને પૂછતાં તેણે કાંઈ જુદું જ ખાધાને ઉત્તર આપે. પછી ન્યાયાધિકારીએ તે સ્ત્રીને રેચનું ઔષધ આપ્યું તેથી તેને રેચ લાગ્યું. તેમાં વિષ્ટાની અંદર તલ નીકળ્યા. તેથી તે સ્ત્રી શુદ્રને સોંપી, અને ધૂર્તને કાઢી મૂક્યા. અહીં ન્યાયાધિકારીની ઔત્પત્તિકી બુદ્ધિ જાણવી. ૯ હવે જાય એટલે હાથીનું ઉદાહરણ આ પ્રમાણે – વસંતપુર નગરમાં કોઈ રાજ હતું. તેણે અતિશય બુદ્ધિવાળે કોઈ એક મંત્રી કરવાની ઈચ્છાથી ચાટામાં પિતાના હાથીને બાંધીને આપણા કરાવી કે “ આ હાથીને જે કઈ તાળી આપશે તેને રાજા મટી આજીવિકા બાંધી આપશે.” આ આષણા સાંભળીને કોઈ એક પુરૂષે તે હાથીને મેટા તળાવમાં લઈ જઈ વહાણ ઉપર ચડાવ્યું. તે વખતે તે હાથીના ભારથી તે વહાણ જેટલું પાણીમાં ડુબ્યુ તે ઠેકાણે નીશાની કરીને તે હાથીને વહાણમાંથી કાંઠે ઉતાર્યો. પછી તે વહાણમાં પોતે કરેલી નીશાની સુધી વહાણ પાણીમાં ડુબે તેટલા મેટા મોટા પથરા ભર્યો. પછી તે સર્વ પથરાઓ અનુક્રમે તળી લીધા, અને તે સર્વ તેલને એકત્ર કરી રાજાને નિવેદન કર્યું કે “આટલા તોલવાળો હાથી છે.” તે જાણીને રાજા હર્ષ પામે અને તેને સર્વ મંત્રીઓમાં મુખ્ય મંત્રી ર્યો. અહીં આ પુરૂષની ઔત્પત્તિકી બુદ્ધિ જાણવી. ૧૦ હવે ઘન એટલે ભાંડ (ચારણ) નું ઉદાહરણ આ પ્રમાણે - કઈ વિટ જાતિને પુરૂષ રાજાની સમીપે હતો. તેની પાસે રાજાએ પોતાની પટ્ટરાણીની પ્રશંસા કરી કે–“અહો ! મારી રાણી એટલી બધી વ્યાધિ રહિત છે કે તે કદાપિ વાયુને સંચાર પણ કરતી નથી.” તે સાંભળીને વિટ બોલ્યો કેદેવ! એવું કદાપી બની શકે જ નહિં” રાજાએ પૂછ્યું–કેમ ન બને?” વિટ બે -“હે દેવ ! દેવી ધૂર્ત છે, તેથી જ્યારે તે સુગંધી પુષ્પોનું ચૂર્ણ કરીને આ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38