________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રવાર્ય અંધતા તજ ખરા સ્વાર્થ નિઝ થવાની જરૂર
૩૮૧
स्वार्थअंधता तजी खरा स्वार्थनिष्ट थवानी जरूर.
ધાર્યવસાનનોંમરમ ને વાયો ઘટ્ટમ” સર્વ કઈ પ્રાણી મનકપિત સ્વાર્થ સાધી લેવાની ધૂનમાં મચી રહેલા દીસે છે. જ્યાં સુધી પેતાને સ્વાર્થ સાધી લેવાની ગરજ હોય છે ત્યાંસુધી ગમે તેની ગમે તેટલી એશીયાળ પણ ભેગવે છે. પણ “ગરજ સરી એટલે વૈદડે વેરી”તાની મતલબ સરી પછી કાઈ કાઈની દરકાર કરતું જણાતું નથી. આનું નામ
સ્વાર્થ અંધતા, આકી વાસ્તવિક રીતે તે સ્વ એટલે આત્મા તેને અર્થ એટલે પ્રજન, જેમાં હોય તે સ્વાર્થ. અર્થાત જેમાં આત્માનું ખરું વાસ્તવિક હિત સમાચેલું હોય તે સ્વાર્થ જ પ્રશંસનીય અને આદરણીય છે, અને જેમાં એથી વિપરીત અર્થ સમાયેલો હોય, અર્થાત્ જેથી સ્વહિત (આત્મહિત) થવાને બદલે ઉલટું અણુહિત થતું હોય યા થવાને સંભવ હોય તેવા કાર્યમાં રાચ્ચા માયા રહેવું તે તે કેવળ સ્વાર્થ અંધતા જ લેખવા ગ્ય છે. સજજન પુરૂ આવી સ્વાર્થ અધતા ૫સંદ કરતા નથી. તેઓ તે ઉપરોક્ત ખરી સ્વાર્થનિષ્ઠાને જ આદરે છે–સ્વીકારે છે.
ગૃહસ્થ-શ્રાવક હો યા સાધુ હો સહુ કેઈ આત્મહિતૈષી જનેએ સ્વકર્તવ્યનિષ્ઠ થવાની જરૂર છે. જે કઈ તેમાં પ્રમાદ યા શિથિલતા કરે છે તે પતિત અવસ્થાને પ્રાપ્ત થતાં પરિણમે ઉપહાસ્યતાને પ્રાપ્ત થાય છે. શ્રીમાન હરિભદ્રસૂરિ કહે છે કે “શાસ્ત્રમાં સ્વસ્વ (પોતપોતાના) અધિકાર થા ચોગ્યતાનુસારે જ ચિત કર્તવ્ય કરવાની મર્યાદા જણાવી છે, છતાં જેઓ સ્વચ્છેદ વૃત્તિથી અન્યથા આચરણ કરે છે તેમની અવદશા થવા પામે છે.” સાધુજનેએ શુદ્ધ સાધુમાગ તરફ લક્ષ રાખી વિહિત માગે જ ચાલવું જોઈએ. તેમણે નકામાં ગૃહસ્થનાં ચુંથણમાં પડી ખુવાર થવું નહિ જોઈએ. શુદ્ધ ચારિત્રના ખપી સાધુજનેને થડે પણ ગૃહસ્થને પરિચય ચારિત્રમાં મલીનતા ઉપજાવી, છેવટે નીચે ગબડાવી દઈ, હાંસીપાત્ર બનાવી દે છે. અને તે વાસ્તવિક જ જણાય છે, કેમકે ઉત્તમ પ્રકારનો ધર્મવ્યાપાર તજી જે નિકૃષ્ટ પ્રકારને ગૃહસ્થ જેવો માર્ગ આપમતિથી અખત્યાર કરવા જાય તેના એવા જ હાલ થવા જોઈએ. ગૃહસ્થને પરિચય એટલે રાગાદિક પ્રતિબંધ એ જેમ જેમ વધતું જાય છે તેમ તેમ વધારે વધારે અને વહેલી હેલી ખરાબી થવા પામે છે. અરે! આવા અનર્થકારી પ્રતિબંધ. કહે કે પરિચયથી કેટલાક સાધુઓ અધમ દશાને પામી અંતે ઉભય ભ્રષ્ટ થયેલા જોવામાં ય સાંભળવામાં આવ્યા છે. એ વાત સત્યા ને પ્રગટ છતાં ઘણું બાળ સાધુઓ:અદ્યાપિ તેવા દુષ્ટ પરિચયને તજતા
For Private And Personal Use Only