Book Title: Jain Dharm Prakash 1915 Pustak 031 Ank 10
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેમ પ્રકાશ. --- • -- ...... વરસાદ પણ થઈ જાય છે. હવા તો અવશ્ય બદલાય છે અને તેથી પાકેલી કેરીની - દર જ વાપત્તિ થાય છે એ સાંભળેલી નહીં પણ નજરે જોયેલી અને દેખાતી હકીકત છે. ઉત્પત્તિ પદાર્થ કહા વિના થતી નથી. અને કહેલો પદાર્થ શારીરને હાનિ કરે છે તે ચેકસ છે. તેથી એ નિયમ ગ્રહણ કરવા યોગ્ય છે. ૨૮. “ ફાગુન માસ પછી પત્રશાક ખાવું નહીં દરેક જાતની ભાજીઓમાં તેમજ પાંદડાંઓમાં ત્યાર પછી ત્રસ ઇવાની ઉત્પત્તિ નજરે પડે છે, અને એવા જીવાત્પત્તિવાળા પદાર્થો શરીરને નુકશાન કરે છે. પરંતુ ખાવાના રસવાળા મનુ મૂળા વિગેરેના પાંદડાંઓ બીજ જેવોએ કોરી ખાધેલા હોય છે છતાં તેને ખાધા સિવાય રહી શકતા નથી. ૨૯. “ સૂકા મે--ખજુર, ખારેક, ઘરાખ, અલુ, કાજુ, પસ્તા, બદામના માંજ, ચારોળી, સૂકાં અંજીર વિગેરેમાંથી કેટલાક પદાર્થ ફાગણ શુદિ ૧૫ પછી ને કેટલાક અશાડ શુદિ ૧૫ પછી ખાવાં નહીં.’ આ નિયમ શરીરને માટે પણ હિતકર છે, કારણકે એમાં ને એની ઉપર પુગી વળેલી, ગંધ ફરેલી, ત્રસ જીવ ઉપલાં વારંવાર નજરે પડે છે, છતાં ઇચ્છના રસને લીધે કેટલાક મનુષ્ય તેને છેડી શકતા નથી, પરંતુ તે તંદુરબીને પણ હાનિ કરે છે એટલું ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ૩૦. “અનંતકાય-કંદમૂળ વિગેરે ભક્ષણ કરવું નહીં.” એની અંદર છેપત્તિ અતિ વિશેષ કહેવામાં આવે છે એ હકીકત તો શાસ્ત્રોકત છે. પરંતુ તે ખાવાથી શારીરિક પણ બીજી હાનિ હોવાનો સંભવ છે. આવા પદાથાના ભક્ષણથી કાલ્પત્તિ વિશેષ થાય છે, અને તેનાથી શરીરને બહુ હાનિ થાય છે, માટે તેવા પદાર્થો ત્યાગ કરવા ચોગ્ય છે. ૩૧. * દર પંદર દિવસે એક ઉપવાસ કરવો ( પાક્ષિક તપ.)” આ નિયમ ખાસ તદુરસ્તીને સુધારનાર છે. પંદર દિવસે ઉપવાસ કરનારના શરીરમાંથી રોગના તો નાશ પામે છે અને શારીરિક પ્રવૃતિ સુંદર થાય છે. ૩. “દર ચાર મહિને બે ઉપવાસ ( ચામાસી તપ.) અને દર વર્ષને અંતે ત્રણ ઉપવાસ ( સંવરી તપ. ) કરવા.’ આ નિયમ પણ ઉપર પ્રમાણે જ શરીરને લાભકારક છે. તેવા તપવડે શરીરમાં ભેગો થયેલે હાનિકારક કચરો અને પાણી વિગેરેના દેપ નાશ પામે છે, તંદુરસ્તી સુધરે છે અને નિરોગીપણું ટકી રહે છે. કક. દર છ છ મહિને નવ દિવસ સુધી દરરોજ નિરસ આહાર લેવા. એટલે કે દુધ, દહીં, ઘી, તેલ, ગોળ અને પકવાર વિગેરે પદાર્થો ખાવાં નહીં. એક વખતજ જમવું, ઉણ જળ પીવું.’ આ નિયમ શરીરને બહુજ લાભકારક છે. દુષ્ટ જવા દુરંત વ્યાધિ પણ આ પ્રમાણેની પ્રવૃત્તિથી નાશ પામે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36