________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વનધર્મની કેટલીક શાળા પ્રવૃત્તિઓ
----~--
શરીર સ્થિતિ સુધરે છે. હાનિકારક રસને નવ દિવસ સુધી પોષણ ન મળવાથી તે નાશ પામે છે. અને મનોનિગ્રહ થવા સાથે શરીર તથા હરિ ઉપર તેનાથી કાબુ મેળવી શકાય છે.
૩૪. મળમાં, મૂત્રમાં, લેમમાં, રૂધિરમાં, શુકમાં ઇત્યાદિ શરીરજન્ય તમામ અશુચિમાં શરીરથી છુટા પડ્યા પછી બે દાડીની અંદર અનેક જંતુઓ ઉત્પન્ન થાય છે અને તે અશુચિઓ જે વ્યાધિવાળા માણસની હોય છે તો તેની અંદર તેની વ્યાધિને ઉત્પન્ન કરનારા જંતુઓ પણ હોય છે કે જે વૃદ્ધિ પામવાથી – ફેલાવાથી બીજા અનેક નિપ અને નિરોગી શરીરને તે તે વ્યાધિના ભેગા કરી દે છે. એટલા માટે એવી અશુચિ રક્ષા તથા ધુળિવડે ઢાંકી દેવી અથવા તાત્કાળિક તેનો નાશ કરવો કે જેથી તે બીજાને ઉપદ્રવ કરે નહીં.” આ નિયમ જેનોને માટે ખાસ કહેલ છે. કારણ કે તેઓ સૂક્ષ્મ જંતુઓનો પણ ઉત્પત્તિ વિનાશ ન થાય એ ધરણના સ્વીકાર કરનારા છે. આ નિયમથી સ્વપરના શરીરને લાલ થાય છે અને અનેક પ્રકારની હાનિ અટકે છે.
૩૫. “જમવા માટે બે અથવા તેથી વધારે સ્ત્રી કે પુરૂષેએ એકડા ન બેસવું, એકબીજાના એડાં પાત્રમાં એક બીજાએ ન જમવું, પાણી પીધેલું પાત્ર કપડાવડે લુંછવા સિવાય ન મૂકવું, અન્યના એઠાં કરેલાં પાત્રવડે બીજાએ પાણી ન પીવું, પાણી પીધેલું જળપાત્ર સામટા પાણીવાળા કામમાં ન બળવું, જમતાં એઠું ન મૂકવું. એઠાં હાથ કેઈપણ પદાર્થમાં ન નાખવા, એડી અથવા પિતાના ભાણુમાં પીરસાયેલી–ખાવા માંડેલી વસ્તુ અન્યને દાણામાં ન નાખવી.” ઈત્યાદિ એડજૂઠને લગતા તમામ નિયમો ખાસ શારીરિક લાભના હેતુભૂત છે, પરસ્પરના વ્યાધિની અસરને દૂર કરનારા છે, આર્થિક વિચારણાએ પણ લાભ કરનારા છે અને જીવહિંસાના પાપથી દૂર રાખનારા છે. - ૩૬. “એવી સ્વચ્છતાથી જમવું કે થાળીની અંદર કંઇપણ મિશ્રિત વસ્તુ એકત્ર થઈ અપ્રિય દેખાવ ન આપે. એવી રીતે સ્વચ્છતાથી જમ્યા પછી તે સ્વચ્છ થાળી સ્વચ્છ જળવડે જોઈને તે પાણી પી જવું.” જેથી પોતાની ગરમી (વિદ્યુત) પિતાને પાછી મળે અને તેમાં કદી હાનિકારક તત્ત્વ હોય તો તેનો ચેપ બીજને ન લાગે-બીજાને હાનિ ન થાય.
૩૭. “વો સ્વચ્છ રાખવાં, સ્વચ્છ પહેરવાં, મલીન ન પહેરવાં. ” આ નિયમ મલીન વસ્ત્રથી થતી શારીરિક હાનિને દૂર કરનાર છે, પિઝીશનમાં વધારે કરનાર છે અને વસ્ત્રની સ્થિતિને પણ વધારનાર છે.
૩૮. “દિશાએ જવાના કાર્યમાં તેમજ તેવા બીજા અપવિત્ર કાર્યમાં વાપરવાના વચ્ચે ખાસ જુદાં રાખવાં,’ આ નિયમ તેવા અશુચિના પરમાણુઓ
For Private And Personal Use Only