Book Title: Jain Dharm Prakash 1915 Pustak 031 Ank 10
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ સારાં, પરોપકારી, આત્મપરિણતિ સુધરે તેવાં કાર્યો માટે આનંદ માની : પુન: તેવા કાર્યો કરવાને મનમાં નિર્ણય કરે અને તેથી વિપરીત કોઈનું બા-કાઇ હેરાન થાય તેવા કૃત્ય કર્યા હોય કે વિરાર સેવ્યાં હોય તે માટે પાપ કરી પુન: હવે પછીના દિવસોમાં તેવાં અધમ કૃત્ય ન કરવાને તેવા વિચાર ન કરવાનો નિર્ણય કરે. આવી ટેવ બહુ ઉપયોગી અને આત્મપરિ. તિ સાધારનારી છે, અને આજ હું પ્રતિકમણ છે. પ્રતિદિન આ પ્રમાણે વર્તનાર આમિક હિંસાથી દૂર જાય છે, અને હમેશાં પરોપકાર પરાયણ રહી અનેક રાભ વિચારો સેવી પિતાનું અને અન્યનું શ્રેય કરવામાં સાધનામૃત થાય છે. આત્મા અને દેહ જુદો છે. આ આત્મા તો આ શરીર છોડી વળી નવું શરીર ધારણ કરશે. આ સંસારચક તેવી રીતે ચાલ્યા જ કરે છે. પિંડ પિષ વાથી કોઈ વિશેષ લાભ મળતો નથી, કારણ કે આ દેહ ઉપર જે કાંઈ મમત્વભાવ ધારીએ તે નકામો છે, જેને ગમે તેટલું પા–પાળ-સંતો પણ અંતે તે વિનાશી છે, અને એક વખત તેને છોડીને ચાલ્યા જવું છે. તેમાં જરા પણ સંશય નથી. દેહને પોષવા કરતાં આત્મપરિણતિને પાપનાર રે માર્ગે પ્રવર્તે છે તેમ કહી શકાય, કારણકે આત્મા તો અવિનાશી છે, અને સર્વદા રહેવાનો છે. તેની પરિણતિ-ભાવના સુધરવાથી તે ખરૂં સુખ જોગવી શકશે. આ પ્રમાણે દેહ, અને આત્માને ભિજ માનનાર - ખરી રીતે તે જુદાંજ છે તેમ તત્વથી સમજનાર હિંસાના કોઈ પણ કાર્યમાં કરી પ્રવર્તશે નહિ. આ સર્વ હિંસાના જુદા જુદા પ્રકારોમાં આ પ્રકાર મુખ્ય સ્થાને છે. દેહ અને આત્માને ભિન્ન માન અને પિતાને જે પસંદ ન હોય તે અન્ય માટે કદી આચરવું નહિ. આ બે બાબતને બરાબર અમલમાં મુકનાર કદી કોઈ પણ દિવા કોઈ પણ જાતની હિંસા આચરી શકશે નહિ. અહીં દર્શાવાયેલા હિંસાના આ સર્વ ભેદો આ સિદ્ધાંતના અજ્ઞાનપણથી જ અમલમાં આવે છે. “જો પોતાની તરફ તેવું વર્તન ચલાવવામાં આવે તો પિતાને કેવું દુ:ખ થાય તેનો વિચાર કરી પિતાને જે પસંદ ન હોય તેવું વર્તન અન્ય કોઈ તરફ કદી ચલાવવું નહિ” તે નિશ્ચય કરવામાં આવે અને આ સમજણ દુનિયાના બધા ભાગમાં જેમ બને તેમ વધારે ફેલાય તે પછી હિંસાનાં ઘણાં કૃત્યે અટકી જશે-તેને નારાજ થઈ જશે. આ દેડના કલ્યાણ માટે-તનું શ્રેય થાય તે માટે આપણે કેટલાં બધાં દુ:ખ સહન કરીએ છીએ? કેવી કેવી જાતના પાપવ્યાપારમાં પ્રવૃત્તિ કરીએ છીએ? તે પછી આત્મકલ્યાણ માટે પણ કેટલુંક દુ:ખ તો વેઠવું પડે –ા આપવા પડે. જ્યારે હું પાનું કહે ત્યારે જ મરી ઉસ્થતા મળે છે. આત્મહિંસા ટાળવાના આ બધા ઉપાય છે. આ પ્રમાણે વર્તનાર પ્રાણી અહિંસા ટાળી અહિંસા પર ધમ ને ઉચ્ચ સિદ્ધાંત સહુ કરી શકે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36