Book Title: Jain Dharm Ane Natak Author(s): Kirtiyashvijay Publisher: Navinchandra Khimji Mota View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ ભવભ્રમણ ટાળવાના ઈરાદાથી જ શ્રી સુર્યાભ દેવે કે શ્રી રાવણ મહારાજાએ પ્રભુ સન્મુખ નૃત્ય કર્યા છે નહિ કે–મનરંજન માટે. આ દરેક વાતની વિસ્તૃત છણાવટ પ્રસ્તુત પુસ્તિકાના લેખોમાં મુનિશ્રીએ રોચક શૈલીથી કરી છે અને વર્તમાનયુગના સુધારક વિચારો ધરાવતા બિરાદરોને સચોટ જવાબ પણ તેમણે આપ્યાં છે તેની ખાત્રી તે વાંચકોને પુસ્તિકાનું વાંચન જ કરાવશે. અંતમાં આ લધુપુસ્તિકાના પ્રકાશનમાં પ્રેસ દષથી કે મતિમંદતાથી જે કાંઈ અશુધિદોષ રહિ ગયા હોય અથવા શ્રી જિનાજ્ઞાવિરૂધ્ધ છપાઈ ગયું હોય તેની હું વાંચ સમક્ષ ક્ષમા યાચું છું. અંતે સૌ વાંચકે પ્રસ્તુત પુસ્તિકાનું વાંચન-મનન કરી પોતાની હંસ-ચંચુ દષ્ટિથી સત્યાસત્યને વિવેક કરી, સત્યને સ્વીકાર અને અસત્યને ત્યાગ કરી, પ્રસુમાર્ગથી વિપરીત પ્રવૃત્તિના મનસા-વાચા-કર્મણ પણ સમર્થક ન બની જવાય તેની સતત કાળજી રાખી પ્રભુમાર્ગની યથાશકિત આરાધના કરી, સ્વ-પરના નિઃશ્રેયસના સાધક બને એજ એક શુભેચ્છા સાથે વિરમું છું. લી. પ્રકાશક. For Private and Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32