Book Title: Jain Dharm Ane Natak
Author(s): Kirtiyashvijay
Publisher: Navinchandra Khimji Mota

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખરેખર જ્યારે જીવ માર્ગ ભુલે છે ત્યારે કેવી ભુલ કરે છે તેનો આ નમુને છે. તેઓ શ્રી લખે છે કે “ભગવાન મહાવીર પણ નાટકો જોતા હતા. આ વાત કેવી બેહુદી છે. ભગવાન મહાવીર સ્વામી સવ હતા. સવદશી હતા અને વીતરાગ હતા, તેમને માટે જગતના સર્વ પદાથે સાક્ષાત કરતલમાં રહેલા જલબિંદુ જેવા પ્રત્યક્ષ હતા તેથી એમને નાટકમાં જોવા જેવું હતું જ શું ? વળી કેવળ જ્ઞાન થયા પૂર્વે પણ એમને ધ્યાનથી ચલિત કરવા માટે દેવે જ્યારે પ્રતિકુળ ઉપસર્ગોમાં સફળ ન થયા ત્યારે દેવાએ અનુકુળ ઉપસર્ગોમાં નૃત્યને આશ્રય લીધા હતા ત્યારે પણ તે નૃત્ય દ્વારા દે પ્રભુને ધ્યાનથી ચલીત ન કરી શક્યા હતા, તો પછી વીતરાગ અને કેવળજ્ઞાની બન્યા પછીની વાતજ શું કરવી? જ્યારે કેવળજ્ઞાન પછી ઈકે પિતાના ભક્તિભાવથી પ્રેરાઈને નાટક રજુ કરવાની વિનંતી કરી ત્યારે પ્રભુએ સન્મતિ પણ આપી નથી. અને નિષેધ પણ કર્યો નથી. કારણું સમતિ આપવાથી સાવધ પ્રવૃતિનું પિષણ થતું હતું, અને નિષેધ કરવાથી ભકિતમાં અંતરાય થતું હતું આથી પ્રભુ મૌન રહ્યા હતા આ વાત આગમમાં સ્પષ્ટ લખેલી છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે શ્રી તીર્થંકર પરમાત્માએ પિતાની સમક્ષ જે નૃત્ય-નાટક થવા દીધા તે બોધક, પિષક અને ઉત્તમ પ્રકારના જૈન ધર્મમાં અચુક અને મહત્વપૂર્ણ સ્થાન ધરાવનાર છે એવી છાપ મારી આપવા માટે નહિ પરંતુ દેવ-દેવેન્દ્રોને ભકિતમાં અંતરાય ન પડે માટે. જે આ રીતે નાટકો કરવાથી લાભ થતો હેત તે પ્રભુએ જ આવા નાટકો કરવાનું વિધાન કેમ ન કર્યું.? તે છતાં નાટકના સમર્થકો તેની ઉધી રીતે રજુઆત કરીને પ્રભુના એઠા નિચે આ પ્રવૃતિને ટેકો આપી રહ્યા છે તે ખરેખર આશ્ચર્ય અને દુઃખ પેદા કરે તેવું છે. તેમજ આપણ પ્રભુએ કરેલું કરવાનું For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32