Book Title: Jain Dharm Ane Natak
Author(s): Kirtiyashvijay
Publisher: Navinchandra Khimji Mota

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેવ-દેવેન્દ્રોએ કરેલા નૃત્ય-નાટકે દેવોએ અને દેવેન્દ્રોએ ભગવાન શ્રી મહાવીરદેવની સન્મુખ નૃત્ય અને નાટક કર્યા હતાં એ એક હકીકત છે. પરંતુ તેમના દ્વારા કરાયેલ નૃત્ય નાટકનો આશ્રય લઈને આજે જે રીતે અને જે સ્થલે નાટક કરાઈ રહ્યાં છે તેને કેઈ પણ રીતે પિષણ આપી શકાય તેવું નથી કારણ કે દરેક કાર્યોમાં પાત્રની પ્રધાનતા હોય છે. માત્ર બે પ્રકારના હોય છે ૧-સુપાત્ર અને ૨-કુપાત્ર. સારૂં પણ કાર્ય જે કુપાત્રના હાથમાં જાય તે હાનિકર નીવડે છે જ્યારે ખરાબ કાર્ય પણ સુપાત્રના હાથમાં જાય તો તે સારા માટે થાય છે, માટે જ શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે–સમ્યગ્ર શાસ્ત્રો મિથ્યાદષ્ટિના હાથમાં જાય તો મિથ્યા બને છે જ્યારે મિથ્યા શાસ્ત્રો પણ સમ્યગદષ્ટિના હાથમાં આવે છે તે સમ્યમ્ બને છે માટે જ અપાત્રમાં વિદ્યા આપવાનો પણ નિષેધ છે આજે અપાત્રમાં વિદ્યા અપાય છેએનું પરિણામ આપણે પ્રત્યક્ષ જોઈ રહ્યાં છીએ Pભગવાનશ્રી મહાવીર દેવ સમક્ષ જે નૃત્ય-નાટક કરાયાં તેનું પાત્ર દેવ-દેવેન્દ્રાદિ હતા. તેમના હૃદયમાં ભગવદ્ભક્તિ હતી. ભગવંત પ્રત્યે સમર્પણભાવ હતો તેમના હૃદયમાં સમ્યગદશનને દીપ ઝળહળી રહ્યો હતો. જેના પરિણામે મિથ્યાત્વના અંધારા તેમનાથી દુર-સુદુર જઈ બેઠા. હતા. આચાર વિચાર અને વાણી વિવેક અને વિનય પૂર્વકનાં હતાં. જ્યારે આજે જે નાઠે ભજવાય છે તેના. જે પાત્રો હોય છે તેને નથી ભગવાન પ્રત્યે ભકિતભાવ કે નથી સમર્પણભાવ, એમને જેમના જીવનનું પાત્ર ભજવવું છે તેમના પ્રત્યે સદ્દભાવ નથી અને તેમના ગુણે પ્રત્યે આદરભાવ નથી. નથી તો એમનામાં આચાર વિચાર અને વાણુને વિવેક કે નથી એમનામાં કોઇ સારા કાર્યની ટેક, આવા માનવીઓ શું મહાપુરુષે ના જીવનનું પાત્ર ભજવી શકે ખરા ? ૧૫ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32