Book Title: Jain Darshan Darpan
Author(s): Dharmguptavijay
Publisher: Navinchandra Ratilal Shah

View full book text
Previous | Next

Page 298
________________ २७८ વિચારને અહિંસાના વિચારથી દૂર કરવો, જુઠના વિચારને સત્યના વિચારથી, ઈર્ષાના વિચારને પ્રદના વિચારથી દૂર કરે, દુરાચારના વિચારને સદારારના સદ્દવિરારથી દૂર કરે વગેરે. બાકી અશુભ વિચારને ‘તું ચાલ્યા જા” એમ કહેવાથી દૂર ન થાય ઉલટા ઉપરથી જેર કરશે અને પિતાના બીજા સાગરીતોને બોલાવી આપણી સામે શીરોરી કરશે. તેથી અશુભ વિચારોની સામે થવા કરતાં તેના પ્રતિપક્ષી શત્રુઓ દ્વારાજ તેને નિકાલ કરાવે તેજ હિતાવહ માર્ગ છે. મનજ સ્વર્ગ છે અને મનજ નરક છે' સુધરેલું મનજ સ્વર્ગ છે અને બગડેલું મન નરક છે. મનજ મિત્ર છે અને મનજ શત્રુ છે સન્માર્ગમાં પ્રેરક મન તે મિત્ર છે અને ઉન્માર્ગમાં પ્રેરક મન તે શત્રુ છે. “મનજ અમૃત છે અને મનજ ઝેર છે સમભાવમાં રહેનારૂં મન અમૃત છે અને કષાયભાવમાં રહેનારૂં મન ઝેર છે. તંદુલીયા નામને મત્સ્ય એક દુષ્ટ મનના પાપે હિંસાના દુષ્ટ વિચારોથી એક અંતમુહર્તાના આયુષ્યમાં તે મરીને સાતમી નરકે જાય છે. તેથી બધા ધાર્મિક ક્રિયાકાંડે મનરૂપી વસ્ત્રને શુદ્ધ કરવા માટે જ જ્ઞાનીઓએ ફરમાવેલાં છે. તેથી ધાર્મિક ક્રિયાકાંડે કરતાં મનશુદ્ધિનું લક્ષ્ય ચૂકવું નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330