Book Title: Jain Darshan Darpan
Author(s): Dharmguptavijay
Publisher: Navinchandra Ratilal Shah

View full book text
Previous | Next

Page 304
________________ ૨૮૫ જ. 'શ્રુતજ્ઞાનાવરણ કર્મના ક્ષપશમથી અને ઇન્દ્રિય અને મનની સહાયથી થતું અને ગ્રંથને (શ્રુતને અનુસરનારૂં જ્ઞાન તેને શ્રુતજ્ઞાન કહે છે. " પ્ર. અવધિજ્ઞાન કોને કહે છે? જ. અવધિજ્ઞાનાવરણ કર્મના ક્ષપશમથી થતું અને ઈદ્રિય અને મનની સહાય વગર સીધેસીધું આત્માને દર્ય (રૂપી) પદાર્થોનું થતું જ્ઞાન તેને અવધિજ્ઞાન કહે છે. પ્ર. મન:પર્યવજ્ઞાન કોને કહે છે? જ મન:પર્યજ્ઞાનાવરણ કર્મના ક્ષેપશમથી થતું અને ઇન્દ્રિ અને મનની સહાય વગર સીધેસીધું સંશી (મનવાળા) પ્રાણીઓના મનના વિચારોને જાણનારૂં જ્ઞાન તેને મનઃપર્યાવજ્ઞાન કહે છે. પ્ર. કેવળજ્ઞાન કેને કહે છે? છે જ, કેવળજ્ઞાનાવરણ કર્મના સર્વથા નાશથી આત્માને ત્રણે કાળનું સર્વ પદાર્થોનું સાક્ષાત થતું શાશ્વતજ્ઞાન તેને કેવળજ્ઞાન કહે છે. પ્ર. આ પાંચ જ્ઞાનમાં શાશ્વતજ્ઞાને અને અશાશ્વતજ્ઞાને કેટલા છે? " જ. કેવળજ્ઞાન એકજ શાશ્વત – અનંત છે, જ્યારે બાકીના ચારે અશાશ્વતવિનાશી (ક્ષપશમભાવના હોવાથી) છે. પ્ર. ક્ષાયિકજ્ઞાન (શાશ્વતજ્ઞાન) એટલે શું ? જ, જ્ઞાનાવરણીય કર્મના સર્વથા ક્ષયથી ઉત્પન્ન થાય તેને ક્ષાયિકજ્ઞાન (શાશ્વતજ્ઞાન) કહે છે. સદા રહેનારું તે. પ્ર. ક્ષાપશમિક જ્ઞાન એટલે શું? ; A : કે . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330