Book Title: Jain Darshan Darpan
Author(s): Dharmguptavijay
Publisher: Navinchandra Ratilal Shah

View full book text
Previous | Next

Page 322
________________ ૩૦૩ ટેટા, ક્ષુદ્રતાને કાઢે, હૃદયને વિશાળ બનાવે, વિશ્વ બંધુત્વની ભાવનાનું ઉત્થાન કરે, માતાપિતા-વિદ્યાગુરુ-ધર્મગુરૂ તરીકે પૂજ્યભાવ રાખવાનું શીખવે, માનવજીવનના ઉચ્ચ મૂલ્યોનું મૂલ્યાંકન કરતાં શીખવે એવા જ્ઞાનને સમ્યગજ્ઞાન કહેવાય છે. આજની સ્કુલમાં-કોલેજોમાં જે આજે શિક્ષણ અપાઈ રહ્યું છે તે ઉપરની વાતે વિચારતાં લાગશે કે તે સમ્યજ્ઞાન નથી આજનું શિક્ષણ પ્રાચે જડતાને પિષે છે, પાપ-પુણ્યની વાતો ભૂલાવે છે, દેવ-ગુરૂ ધર્મથી દૂર રાખે છે, કેવળ આર્થિક બેઈઝ ઉપર આજનું શિક્ષણ અપાય છે, ભાઈ, ભણશે તો રોટી–બેટી મળશે, સારૂં ધન કમાઈ શકશે, લેકમાં માન-સન્માન પામશો. આમાં “લા જિલ્લા ના વિમુકાશે” એ બેય કયાં સિદ્ધ થતું દેખાય છે? વિદ્યા ભણવા પાછળનો ઉદાત્ત આશચ-. ઉચ્ચ ધ્યેય ક્યાં આજે રહ્યું છે? શુદ્ર ચેય સિદ્ધ કરવા માટે માતા સરસ્વતીને ઉપગ કરે એમાં કઈ બુદ્ધિમત્તા-માણસાઇ છે? જે માણસનું ધ્યેય-આદર્શ હલકે હોય તેની પ્રવૃત્તિ ભલે મહાન–ઉત્તમ હોય તો પણ તેની કાંઈ જ કિંમત નથી. ઉત્તમ કાર્યની પાછળ ઉત્તમ ભાવનાઉત્તમ ધ્યેય હોવું જરૂરી છે. આજના શિક્ષણથી બાળકના ચારિત્રનું ઘડતર શું થાય છે? એની એ વાસ્તવિક ફરજે કયાં સમજતે થાય છે? દયાપરેપકાર, કૃતજ્ઞતા, વિનય, સભ્યતા, સૌજન્યતા--સંતોષ-- ખાશ-સહિષ્ણુતા, સદાચાર જેવા માનવજીવનને ઉચ્ચ બનાવનાર તનું પિષણ આજની સ્કુલ-કોલેજોમાં થઈ રહ્યું છે કે શેષણ એને સંઘના (સમાજના) આગેવાનોએ ખાસ વિચાર કરવાની ઘડી પાકી ગઈ છે. સદાચારને સળગાવી દઈને માનવ ગમે તેટલો ધનિક કે સત્તાધિશ બને તે પણ એની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 320 321 322 323 324 325 326 327 328 329 330