Book Title: Guruvani 2
Author(s): Jambuvijay
Publisher: Jinendraprabhashreeji

View full book text
Previous | Next

Page 5
________________ પ્રાતઃ વંદનીય પૂ. સાધ્વીજીશ્રી મનોહરશ્રીજી મ.સા. (બા મહારાજ) વિક્રમ સંવત ૧૯૫૧ માગરાર વદ ૨, તા. ૧૪-૧૨-૧૮૯૪ શુક્રવારે ઝીંઝુવાડામાં પિતા પોપટભાઈ તથા માતા ખેનીબેનની કુક્ષિએ જન્મેલું તેજસ્વીરત્ન મણિબહેન, કે જે છબીલ એવા હુલામણા નામથી મોટા થયા અને બાળપણથી જ ધર્મપરાયણ એવી આ તેજસ્વી દિકરીને પિતા મોહનલાલભાઈ અને માતા ડાહીબહેનના પનોતા પુત્ર ભોગીભાઈની સાથે પરણાવ્યા. વર્ષ પર વર્ષ વીતતા ચાલ્યા. જજ઼કમલવત્ સંસારસુખ ભોગવતાં એમની દામ્પત્ય-વેલ પર પુત્રનું પુષ્પ પ્રગટયું. નાની ઉંમરમાં પડેલું ધર્મનું બીજ મણિબેનના જીવનમાં હવે વૃક્ષરૂપે ફૂલ્યું-ફાલ્યું અને તેના ફળ સ્વરૂપે પતિ અને પુત્રને વીરની વાટે વળાવ્યા. જેઓ પૂ.મુ.શ્રી ભુવનવિજયજી મ.સા. તથા પૂ.મુ.શ્રી જંબૂવિજયજી મ.સા.ના નામે પ્રસિદ્ધ બન્યા. પતિના પગલે-પગલે ચાલનારી મહાસતીનું બિરૂદ સાર્થક કરતા મણિબેને પણ તેમના જ સંસારી મોટા બહેન પૂ. સા.શ્રી લાભશ્રીજી મ.સા.ના ચરણમાં જીવન સમર્પણ કર્યું. તપ, ત્યાગ, સમતા, સહનશીલતા જેવા ગુણોને તેમણે આત્મસાત કર્યા. ૫૭ વર્ષ સુધી નિરતિચારપણે સંયમ જીવનની આરાધના કરતાં તથા વાત્સલ્યના ધોધમાં બધાને નવડાવતા એ ગુરૂમાતા ૧૦૧ વર્ષની જૈફ ઉમરે સંવત ૨૦૫૧ પોષસુદિ ૧૦ તા. ૧૧-૧-૧૯૯૫ બુધવારે પાલિતાણામાં સિદ્ધાચલની ગોદમાં સમાઈ ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 118