________________
“સમુચ્ચય-વય-ચર્યા” સુધી મારાથી સ્વાભાવિક રીતે ભકિપણું જ સેવાયું હતું; હું માણસ જાતને બહુ વિશ્વાસુ હત; સ્વાભાવિક સૃષ્ટિરચના પર મને બહુ પ્રીતિ હતી.”
આ તેમનું આર્જવભર્યું બાળપણ તથા સ્મૃતિશક્તિ આદિ સોને નથી હોતાં. તે વિષે આત્મામાં ઊંડા ઊતરી નિરીક્ષણ કરતાં જ કવિને
જાતિસ્મરણજ્ઞાન' જેવી ચમત્કારી શક્તિમાંથી પૂર્વજન્મજ્ઞાન અને પુનર્જન્મનું તત્ત્વ અવગત થયું હશે, એમ માનીએ.
આગળ પિતાની વયચર્યા વર્ણવતાં, ૧૩ વર્ષ સુધીને અંગે વળી વિશેષ એક બે વાતો કરે છે. તેમાં પોતાના પિતામહની કૃષ્ણ-ભક્તિનો “ઉલ્લેખ કરીને કહે છે કે, “મને ભક્તિની સાથે તે અવતારોમાં પ્રીતિ થઈ હતી, અને રામદાસજી નામના સાધુની સમીપે મેં બાળલીલામાં કંઠી બંધાવી હતી..........અવતારો સંબંધી ચમત્કારમાં હું મોહ પામતો અને તેને પરમાત્મા માનત; જેથી તેનું રહેવાનું જોવાની પરમ જિજ્ઞાસા હતી. તેના સંપ્રદાયના મહંત હોઈએ, સ્થળે સ્થળે ચમત્કારથી હરિકથા કરતા હોઈએ અને ત્યાગી હોઈએ, તો કેવી મજા પડે! – એ જ વિકલ્પના થયા કરતી. તેમ જ કોઈ વૈભવી ભૂમિકા જો કે સમર્થ વૈભવી થવાની ઇચ્છા થતી. “પ્રવીણસાગર’ નામનો ગ્રંથ તેવામાં મેં વાંચ્યો હતે; તે વધારે સમજ્યો નહ; છતાં સ્ત્રી સંબંધી નાના પ્રકારનાં સુખમાં લીન હોઈએ અને નિરુપાધિપણે કથા-કથન શ્રવણ કરતા હોઈએ, તે કેવી આનંદદાયક દશા,– એ મારી તૃષ્ણા હતી.” - આ વયે જે મને રાજ્ય કુમારાવસ્થામાં જાગે છે, તે આસપાસના સંસાર કુમાર માનસ પર જે પ્રત્યાઘાત પાડે, તે બતાવી શકે છે કે, તે તે કુમારની આત્મદશાની મને ભૂમિકા કેવી ઉદયમાન હશે. આ સમયે તે વૈષ્ણવ ધર્મ પ્રત્યે રુચિ અને જેનો પ્રત્યે મુગ્ધ જુગુપ્સાભાવ - પિતાને હતા, એમ નેધે છે. પણ પછીથી “હળવે હળવે તેમનાં પ્રતિક્રમણ સૂત્ર ૮૦ પુસ્તકો વાંચવા મળ્યાં; તેમાં બહુ વિનયપૂર્વક સર્વ જગત-જીવથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org